SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ અદત્તાદાન અથવા ચોરી માટે પ્રશ્ન વ્યાકરણમાં જુદા જુદા સમાન્તર અર્થ કે ભાવવાળા પ્રાકૃત શબ્દો આપ્યા છે, જેમ કે ચોરિકk, (ચોરી), પરહર્ડ બીજાની વસ્તુ ભોળવીને ચાલાકીથી પડાવી લેવી), કૂરિડ નિર્દય બનીને, ધમકી આપીને છીનવી લેવું, પરલાભ (મહેનત કર્યા વિના બીજાનો લાભ ઉઠાવવો), અસંજમ બીજાની વસ્તુ લેવામાં સંયમરહિત બનવું, લોલિક (બીજાની આકર્ષક વસ્તુ જોઈ તે મેળવી લેવા લાલચુ બનવું), અવહાર (દુષ્ટતા, અવિનય કે ઉદ્ધતાઈથી બીજાની વસ્તુ પડાવી લેવી, હથલધુત્તર્ણ (બીજાને ન દેખાય એ રીતે હાથની લાઘવતાથી કામ પતાવી લેવું, જેમ કે ખિસ્સાકાતરુઓ કરે છે તેમ), અપચ્ચઓ વિશ્વાસઘાત કરવો), કુલમસી પોતાના કુટુંબને કલંક લગાડનારું કામ), વગેરે. માણસ સ્વભાવથી ચોર નથી, માટે ચોરી ન કરવાની બાબતને વ્રતનું સ્વરૂપ આપવાની જરૂર નથી એવી દલીલ કોઈ કરે તો તે નિરર્થક છે. આ વ્રતની જે સૂક્ષ્મ મીમાંસા જૈનદર્શનમાં કરવામાં આવી છે તેનો જો બરાબર અભ્યાસ કરવામાં આવે તો લાગ્યા વગર રહેશે નહિ કે માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહિ, સામાજિક દૃષ્ટિએ પણ આ વ્રતની ભાવના મનુષ્યજીવન માટે ઘણી ઉપકારક છે. અદત્તાદાન વિરમણ વ્રત પાંચ મહાવ્રતમાં બરાબર મધ્યમાં આવે છે. પહેલાં બે વ્રતના પોષણ અર્થે જ આ ત્રીજું વ્રત પણ બતાવવામાં આવ્યું છે. અહિંસા અને સત્ય સાથે અસ્તેય વ્રત ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે. પહેલાં બે વ્રતનું કે બેમાંથી કોઈ એકનું બરાબર પાલન કરી ન શકનાર વ્યક્તિ આ ત્રીજું વ્રત પણ બરાબર પાળી ન શકે. આ ત્રીજા વ્રતનું પાલન કરનાર પહેલાં બે વતમાં દઢ રહી શકે છે. વળી જેઓ આ ત્રીજું વ્રત સ્થળ અને સૂક્ષ્મ દૃષ્ટિએ બરાબર પાળે છે તેઓને માટે ચોથા અને પાંચમા વ્રતનું પાલન સરળ બની જાય છે. પાંચ મહાવ્રતોમાં અસ્તેય વ્રતને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે તે સકારણ છે એમ વિવિધ દૃષ્ટિબિંદુથી જોતાં જણાશે. વ્રતભંગ કરનાર લોકોની સંખ્યાના પ્રમાણની દષ્ટિએ જોઈએ તોપણ તે યોગ્ય જણાશે. દુનિયામાં અપરિગ્રહ વ્રતનો ભંગ કરનાર માણસો કરતાં બહ્મચર્ય અથવા સ્વદારાસંતોષના વ્રતનો ભંગ કરનાર લોકો વધુ હશે. એથી વધુ લોકો અસ્તેય વ્રતનો ભંગ કરનાર, એથી વધુ અસત્ય બોલનાર અને એથી વધુ સ્થલ-સૂક્ષ્મ હિંસા કરનાર લોકો હશે. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચાર ગતિના જીવોમાંથી ચોરીની સૌથી વધુ શક્યતા મનુષ્યભવમાં જ છે. મનુષ્યભવમાં જ જેમ એક તરફ જીવને માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉત્તમોત્તમ આરાધના કરી મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાની શક્યતા રહેલી છે, તેમ બીજી બાજુ ગરીબી, બેકારી, વેર લેવાની વૃત્તિ વગેરે તથા અાધન – વિરમણ કક ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy