SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણાને પણ પચ્ચકખાણ પાર પાડવામાં આવે તે અનાગાર પચ્ચકખાણ કહેવાય. આ પચ્ચકખાણમાં પણ “અન્નથણાભોગ” અને “સહસાગાર' એવા બે અપવાદો તો રાખવા જ પડે છે. (૬) સાગારઃ સાગાર એટલે આગારસહિત અર્થાત્ છૂટ અથવા અપવાદસહિત. પચ્ચકખાણમાં જો અપવાદ ન હોય તો પચ્ચક્ખાણ વારંવાર ભંગ થવા લાગે અને ભંગ થવાની બીકે માણસો પચ્ચકખાણ લેતાં ડરે. પરંતુ શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની પરિસ્થિતિનું તથા મનુષ્યના ચિત્ત અને પ્રકૃતિનું સૂક્ષ્મ અવલોકન કરીને કેટલાક અપવાદો સાથે પચ્ચકખાણ લેવાનું ફરમાવ્યું છે, જેમ કે અન્ય સ્થાને જતાં અચાનક પચ્ચકખાણનું વિસ્મરણ થઈ જાય અને અજાણતાં ભંગ થઈ જાય તો તેવા પ્રકારના ભંગને ભંગ કહ્યો નથી. જેમ કે કોઈએ અમુક ખાદ્યપદાર્થોનો ત્યાગ કર્યો હોય અને કોઈક ભૂલથી તેવા પદાર્થવાળી વાનગી આપી દે અને ખાધા પછી જ ખબર પડે કે આ પદાર્થનું એમાં મિશ્રણ થયેલું છે. આવે પ્રસંગે અપવાદ રાખેલો હોવાથી પચ્ચકખાણના ભંગનો દોષ લાગતો નથી. અલબત્ત, અતિચારનો દોષ લાગે છે, જેની શુદ્ધિ થઈ શકે છે. બીજો આગાર તે સહસાગાર છે. સહસા એટલે અચાનક. માણસને ખ્યાલ આવે તે પહેલાં જ કોઈક એવી ઘટના બની જાય કે જેથી પચ્ચકખાણનો ભંગ થાય. તેવી પરિસ્થિતિની છૂટ રાખવામાં આવે છે, જેમ કે કોઈકને ઉપવાસનું પચ્ચકખાણ હોય અને વાત કરતાં બેઠાં હોય તે વખતે દૂધ કે એવી કોઈ બીજી વસ્તુનો અચાનક ક્યાંકથી છાંટો ઊડી મોઢામાં પડે તો પચ્ચકખાણનો ભંગ થતો નથી. તેવી પરિસ્થિતિની છૂટ તે “સહસાગાર’ છે. આમ, દરેક પચ્ચકખાણમાં ઓછામાં ઓછા બે આગાર એટલે કે બે અપવાદ અચૂક રાખવામાં આવે છેએક “અન્નથ્થણાભોગ' અને બીજો “સહસાગાર'. આ બે ઉપરાંત જુદા જુદા પચ્ચક્ખાણના પ્રકારને લક્ષમાં રાખીને જુદા જુદા આગાર બતાવવામાં આવે છે. એવા મુખ્ય બત્રીસ આગાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. (૭) નિરવશેષ : ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે નિરવશેષ પચ્ચક્ખાણ છે. આ પચ્ચકખાણ મરણ સમયે લેવાય છે. જેઓ-સંલેખનાવત (સંથારો) લે છે તેમને પણ આ પચ્ચકખાણ લેવાનું હોય છે. ૧૩૮ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy