SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) પરિમાણકૃત પિરમાણ એટલે માપ. આહાર વગેરેમાં અમુક જ વાનગીનું કે અમુક કોળિયાનું માપ નક્કી કરીને આહાર કરવાનું પચ્ચક્ખાણ લેવું તે પિરમાણકૃત પચ્ચક્ખાણ છે. (૯) સંકેતઃ કેટલીક વખત અમુક સમયમર્યાદા માટેનું પચ્ચક્ખાણ કર્યું હોય, પરંતુ તે સમયમર્યાદા પૂરી થયા છતાં પચ્ચક્ખાણ પૂર્ણ કરવાનો અવસ૨ પ્રાપ્ત ન થાય એમ હોય ત્યારે બાકીનો સમય અવિરતિમાં પસાર કરવા કરતાં કોઈ સંકેત ધારણ કરી લેવામાં આવે અને એ સંકેત પ્રાપ્ત થતાં પચ્ચક્ખાણ પૂર્ણ કરવામાં આવે. કોઈક વખત પચ્ચક્ખાણને યાદ રાખવા માટે પણ એવો સંકેત આલંબરૂપ બને છે. મુઠ્ઠી (મુઠી) સહિત' કે ‘ગન્ડી (ગાંઠ) સહિત' એ બે પ્રચલિત સંકેતો છે. માણસ મુઠ્ઠી વાળી રાખે અને મુઠ્ઠી ખોલે ત્યારે પચ્ચક્ખાણ પારે અથવા વસ્ત્રને ગાંઠ વાળી રાખે અને ગાંઠ છોડે ત્યારે પચ્ચક્ખાણ પૂર્ણ કરે તો તે સંકેત પચ્ચક્ખાણ છે. દીવો બળ્યા કરે ત્યાં સુધી પચ્ચક્ખાણ ક૨વું અને દીવો બુઝાય ત્યારે પચ્ચક્ખાણ પારવું એવી રીતે પણ સંકેત પચ્ચક્ખાણ લેવાય છે. (૧૦) અદ્ધા ઃ અહ્વા એટલે કાળ. કાળને અનુલક્ષીને જુદા જુદા પ્રકારના આહારની વિવિધ મર્યાદાઓ બાંધવાપૂર્વક જે પચ્ચક્ખાણ લેવાય છે તેના નીચે પ્રમાણે દસ પેટાપ્રકાર જે બતાવવામાં આવ્યા છે : (૧) નવકારસી, (૨) પોરસી, (૩) પુરિમ, (૪) એકાસણું, (૫) એકલઠાણું, (૬) આયંબિલ, (૭) ઉપવાસ, (૮) દિવસચરિમ કે ભવચરમ, (૯) અભિગ્રહ અને (૧૦) વિગઈ. આ બધા પારિભાષિક પેટાપ્રકારોની સૂક્ષ્મ છણાવટ ભિન્નભિન્ન જૈન શાસ્ત્રગ્રંથોના પચ્ચક્ખાણ વિશેના અધિકારમાં થઈ છે. Jain Education International પચ્ચક્ખાણ ૧૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy