SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક ભૂલો એવી હોય છે કે જેનાથી માણસને વ્યવહારમાં નુકસાન થતું નથી, બલ્ક ક્યારેક લાભ પણ થાય છે, પરંતુ તેવા દોષથી આત્માને ઘણું નુકસાન થાય છે. કોઈ માણસ દ્રવ્યની ચોરી પકડાયા વગર કરે તો એને દ્રવ્યનો લાભ થાય છે, પરંતુ તેના આત્માને ચોરીના મલિન સંસ્કારો પડે છે. કોઈ માણસ અસત્ય બોલી લાભ ઉઠાવી જાય છે, પરંતુ તેનો આત્મા એટલો નીચે પડે છે. જે માણસો હિંસા, અસત્ય, ચોરી વગેરે દ્વારા કેટલાક લાભો મેળવે છે તેઓને ક્યારેક તો તેનાં માઠાં પરિણામ ભોગવવાં જ પડે છે. જ્યારે એમ થાય છે ત્યારે માણસને પોતાની ભૂલ માટે અફસોસ થાય છે. કોઈ પણ વ્યક્તિ મન, વચન અને કાયાના યોગોની બાબતમાં સતત દોષરહિત કે નિરતિચાર રહી શકતી નથી. કેટલીક વાર અજાણતાં દોષ થઈ જાય છે, તો કેટલીક વાર શુભાશયથી કરેલી ક્રિયા અન્યને હાનિકર્તા નીવડવાથી દોષરૂપ સિદ્ધ થાય છે. પોતાના દોષોનું સતત અવલોકન કરી ફરી તેવા દોષોથી બચવા માણસ જેમ વધુ ઉદ્યમશીલ બને તેમ તેવા દોષો થવાનો સંભવ ઓછો રહે, પરંતુ તેની બાબતમાં માણસ જેમ વધુ પ્રમાદ કરે તેમ દોષોરૂપી કચરો ઉત્તરોત્તર એવો વધતો જાય કે તેને સાફ કરવા માટે વધુ પ્રબળ પરિશ્રમયુક્ત પુરુષાર્થ કરવો પડે. સવારસાંજ માણસ જો પોતાની જાતનું અવલોકન કરી આવી વિશુદ્ધિની ક્રિયા કરે તો તેનું જીવન અને તેનો આત્મા વધુ નિર્મળ રહે. પોતાના દોષો કે અતિચારો માટે પશ્ચાત્તાપ થાય તો ત્યાંથી પ્રતિક્રમણની ભાવના અને ક્રિયા શરૂ થઈ ગણાય. પોતાના દોષોને માટે પ્રાયશ્ચિત્ત કરવું તથા તેને માટે ગુરુ કે વડીલ દ્વારા પ્રાયશ્ચિત્ત રૂપે અપાતી જે કંઈ શિક્ષા હોય તે ભોગવવા તત્પર રહેવું અથવા પોતાના મનથી પણ પોતે સ્વૈચ્છિક શિક્ષા ભોગવવા પ્રવૃત્ત થવું તેને પણ પ્રતિક્રમણ કહી શકાય. જૈન ધર્મમાં પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનાં બતાવ્યાં છે, અને તેમાં પ્રતિક્રમણને પણ પ્રાયશ્ચિત્તના એક પ્રકાર તરીકે ગણવામાં આવ્યું છે. કહ્યું છે : आलोण पडिक्कमणे मीस विवेगे कहा वि उसग्गे । तवच्चेय मूव अणवठ्ठयाय पारंचिए चेव ॥ (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ (૩) મિશ્ર, (૪) વિવેક, (૫) કાયોત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત એમ દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે. જે માણસ સાચા દિલથી, નિર્મળ ભાવથી પ્રાયશ્ચિત્ત કરે છે તે માણસ એ જ પ્રકારનું પાપ સામાન્ય રીતે ફરીથી હેતુપૂર્વક કરવા પ્રવૃત્ત થતો નથી. અપવાદરૂપ ૧૧૨ કિ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy