SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ને કોઈક પ્રકારની ધાર્મિક ક્રિયાનું વિધાન છે. વૈદિક પરંપરામાં સંધ્યાકર્મનો આદેશ છે. યજુર્વેદમાં સંધ્યાકર્મ કરવા માટેનો જે મંત્ર છે તેમાં મન, વાણી અને દેહ દ્વારા થયેલા દુરાચારોનાં વિસર્જન માટે પ્રાર્થના કરાય છે. પારસીઓના અવેસ્તા ગ્રંથમાં પણ મન, વાણી અને કાયા દ્વારા જાણતાં કે અજાણતાં થયેલા દોષોને માટે રોજેરોજ પશ્ચાત્તાપ કરવાનું વિધાન છે. બૌદ્ધધર્મમાં જૈન ધર્મની જેમ પાપદેશના’ અથવા પ્રવા૨ણા' નામની ક્રિયા છે. દિવસ અને રાત્રિ દરમિયાન જુદે જુદે સમયે વ્યક્તિગત રીતે કરવાની પાપદેશના’રૂપ ક્રિયા ઉપરાંત ભિખ્ખુ અને ભિખ્ખુણીઓને માટે સામૂહિક રીતે નિશ્ચિત સ્થળે, નિશ્ચિત દિવસે એકત્ર થઈ પોતાનાં પાપોની આલોચના કરવાની પ્રવારણા' નામની ક્રિયા પણ છે. પખવાડિયામાં ઓછામાં ઓછી એક વાર કરાતી આ ક્રિયાને પ્રવારણા' કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં કન્ફેશન્સ (Confessions) અને રિટ્રિટ- (Retreat)ની ધર્મક્રિયાનું વિધાન છે. રિટ્રિટ શબ્દ પ્રતિક્રમણ’ શબ્દના પર્યાય જેવો જ છે. ઘણા દિવસ સુધી ચાલતી એની ક્રિયામાં મૌન, ધ્યાન, આત્માવલોકન, પ્રાર્થના ઇત્યાદિ દ્વારા આત્માને નિર્મળ કરવાની ભાવના છે. ઇસ્લામ ધર્મમાં ‘તોબાહ’ની ધર્મક્રિયા છે. આમ દુનિયાના જુદા જુદા ધર્મમાં પાપની આલોચના અને વિશુદ્ધિકરણ માટે કોઈક ને કોઈક ધર્મક્રિયા ફરમાવવામાં આવેલી છે. કોઈ પણ માણસ પોતાના પૂર્વજીવનનું અવલોકન કરે તો તેને પોતાની કોઈક ને કોઈક ભૂલ જણાયા વગર ન રહે. ઊઠતાં, બેસતાં, ખાતાંપીતાં, બોલતાં-ચાલતાં, હરતાંફરતાં, વિચાર કરતાં, ચિંતન-મનન કરતાં માણસથી સ્થૂલ કે સૂક્ષ્મ પ્રકારની કોઈક ને કોઈક ભૂલ જાણતાં-અજાણતાં થઈ જાય છે. જ્યાં સુધી સર્વજ્ઞતા ન આવે ત્યાં સુધી ભૂલ થવા સંભવ રહે છે. સામાન્ય રીતે જીવન સંપૂર્ણ કે પરિપૂર્ણ સંભવી ન શકે. સર્વજ્ઞતાના અભાવમાં એક જીવનો બીજા જીવ સાથેનો વ્યવહાર પણ સંપૂર્ણ અને સર્વ પક્ષે સર્વથા સંતોષકારક ન હોઈ શકે. ન કેટલીક ભૂલો માણસને તરત સમજાય છે, તો કેટલીક ભૂલો સમજાતી નથી. વળી કેટલીક ભૂલો સમજાય છે, તો સ્વીકારાતી નથી. પોતે ભૂલ કરી છે એવું માનવાને પણ માણસ ક્યારેક તૈયાર થતો નથી. એકને જે સાચું લાગે છે તેમાં બીજાને ભૂલ જણાય. પોતાની ભૂલ થઈ હોય અને તેને માટે માણસને જો પશ્ચાત્તાપ થાય તો તેવી ભૂલ ફરી ન થાય તે માટે તે જાગ્રત રહેવા પ્રયત્ન કરે છે. જે ભૂલથી પોતાના જીવનવ્યવહારમાં માણસને પૈસા, કૌટુંબિક કે વ્યાવહારિક સંબંધોની બાબતમાં મોટું નુકસાન થાય છે, તેવી બાબતમાં ભૂલ ફરી ન થાય તે માટે માણસ વિશેષ સજાગ અને સાવધ રહે છે. Jain Education International પ્રતિક્રમણ * ૧૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy