SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ એવા જીવો અલબત્ત હોય છે કે જે વાંરવાર પ્રાયશ્ચિત્ત કરવા છતાં, અજ્ઞાન, પ્રમાદ કે મોહદશાના કારણે એવા દોષોનું આચરણ ફરી ફરી કરે છે. પ્રાયશ્ચિત્ત એ વિશુદ્ધિનો માર્ગ છે. આત્માને લાગેલી મલિનતાનું એના વડે પ્રક્ષાલન થાય છે. એટલા માટે પ્રતિક્રમણ એ પ્રાયશ્ચિત્તનો એક વિશિષ્ટ પ્રકાર છે. ધર્મના માર્ગે આરાધના કરનારને માટે જૈન ધર્મમાં છ આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યાં છે : (૧) સામાયિક, (૨) ચઉવિસથ્થો (ચતુર્વિશતિસ્તવ), (૩) વંદન, () પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચકખાણ. સાચા જેન આરાધકે આ છ ક્રિયાઓ રોજેરોજ અવશ્ય કરવી જોઈએ. એટલા માટે એને આવશ્યક ક્રિયા તરીકે ઓળખવામાં આવી છે. જૈન આગમ ગ્રંથોમાં આ છ ક્રિયાઓ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. “આવશ્યક સૂત્ર' ગણધરરચિત છે અને તેના ઉપર નિર્યુક્તિ વગેરે પ્રકારની રચનાઓ દ્વારા ઘણો પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રતિક્રમણ એ છ ક્રિયાઓમાંની બરાબર વચ્ચે આવતી એક મહત્ત્વની ક્રિયા છે. વળી તેની મહત્તા એટલી બધી છે કે એક પ્રતિક્રમણની ક્રિયાની અંદર છએ છ આવશ્યક ક્રિયાઓ આવી જાય છે. સામાયિક લઈને પ્રતિક્રમણની વિધિ કરવામાં આવે છે. અને તેમાં ચતુર્વિશતિસ્તવ (ચોવીસ તીર્થંકરની સ્તુતિ), ગુરુવંદન, કાઉસગ્ગ અને પચ્ચકખાણની વિધિ કરવામાં આવે છે અને તે પૂરી થતાં સામાયિક પારવામાં આવે છે. એટલા માટે પ્રતિક્રમણ ઓછામાં ઓછું બે ઘડીનું જ૮ મિનિટનું હોવું જોઈએ. પંચ મહાવ્રતધારી સાધુઓએ મહાવ્રતોને ઉદ્દેશીને અને ગૃહસ્થોએ પાંચ અણુવ્રત સહિત બાર વતોને ઉદ્દેશીને પ્રતિક્રમણની વિધિ કરવાની હોય છે. ગૃહસ્થ અને સાધુની વિધિમાં એટલા માટે એ દૃષ્ટિએ થોડો ફરક પણ હોય છે. સાધુઓએ પાવતું જીવન સાવદ્ય યોગનાં પાપયુક્ત પ્રવૃત્તિનાં) પચ્ચકખાણ લીધાં હોય છે. એટલે સૈદ્ધાત્તિક દૃષ્ટિએ તેઓ નિરંતર સામાયિકના ભાવમાં હોય છે અને હોવા જોઈએ. એટલા માટે તેઓને સામાયિકની જુદી ક્રિયા કરવાની હોતી નથી. દિગમ્બર પરંપરામાં પ્રતિક્રમણ કરતાં સામાયિકની ક્રિયા ઉપર વધુ ભાર મુકાયો છે. ક્યારેક પ્રતિક્રમણ અને સામાયિક એ બંનેનું લક્ષ્ય લગભગ એકસરખું જણાયાથી તે એકબીજાના પર્યાય જેવાં બની રહે છે. એને લીધે દિગમ્બર મુનિઓ નિશ્ચિત સમયે સવિધિ સામાયિકની ક્રિયા પણ કરે છે. પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા હઠવું અને થયેલા દોષોને માટે ક્ષમા માગવી. “ મિચ્છામિ દુક્કડમૂની ભાવના પ્રતિક્રમણનું હાર્દ છે. અશુભ યોગમાંથી ચિત્તને નિવૃત્ત કરવું એટલું જ પર્યાપ્ત નથી. એને શુભ યોગમાં જોડવું પણ જોઈએ. જે માણસો “ મિચ્છામિ દુક્કડમ્' કર્યા પછી ફરી પાછા તેવા જ પ્રકારના દોષો કર્યા પ્રતિક્રમણ - ૧૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy