SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ન કીધો. તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ'. શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં સંવત્સરિ પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સનો ચંદેસુ નિમલયરા' સુધી તથા એક નવકારનો કાઉસગ્ગ કરવામાં આવે છે. ૪૦ લોગસ્સના કુલ ૧૦૦૦ શ્વાસોચ્છવાસ તથા નવકારમંત્રના ૮ શ્વાસોચ્છવાસ એમ કુલ ૧૦૦૮ શ્વાસોચ્છવાસ થાય છે. ૪૦ લોગસ્સ ઉપર એક નવકાર ગણવાથી ૧૦0૮ની શુભ સંખ્યાનો પણ મેળ બેસે છે. એક લોગસ્સ બરાબર ચાર નવકારનો કાઉસગ્ન હોય છે. નવકારના આઠ શ્વાસોચ્છુવાસ ગણવામાં આવે છે. લોગસ્સના ૨૫ શ્વાસોચ્છવાસ હોય છે. એટલે ત્રણ નવકાર ગણતાં ૨૪ શ્વાસોચ્છુવાસ થાય અને ચાર નવકાર ગણતાં ૩૨ શ્વાસોચ્છુવાસ થાય. એટલે શ્વાસોચ્છવાસની ઓછી સંખ્યા કરતાં અધિક શ્વાસોચ્છવાસનું પ્રમાણ વધુ યોગ્ય અને હિતાવહ છે. બંનેના કાલમાનની દષ્ટિએ પણ તે યોગ્ય છે. પદ અને સંપદાની દૃષ્ટિએ પણ ત્રણ કરતાં ચાર નવકાર વધુ યોગ્ય જણાય છે. એટલે એક લોગસ્સ બરાબર ચાર નવકારની ચાલી આવેલી પરંપરા યોગ્ય જ મનાય છે. લોગસ્સ ન આવડતો હોય તો તે વ્યક્તિ ભલે કાઉસગ્ગ ન કરે, પણ તેની પાસે નવકારની કાઉસગ્ન કરાવવાની જરૂર શી છે એવી દલીલ વ્યર્થ છે. અલબત્ત, કાઉસગ્ન કરવાની સાચી ભાવનાવાળાએ ઉત્સાહપૂર્વક લોગસ્સ કિંઠસ્થ કરી લેવો જોઈએ. નવકારમંત્ર કરતાં લોગસ્સ સૂત્ર મોટું અને કઠિન છે એવી દલીલમાં પણ બહુ બળ નથી, કારણ કે જો રસ રુચિ અને લગની હોય તો ભાષા બોલતાં શીખેલાં બે-ત્રણ વર્ષનાં બાળકોએ લોગસ્સ શુદ્ધ રીતે કંઠસ્થ કરી લીધાના ઘણા દાખલા છે. લોગસ્સની સાત ગાથાઓનો સંબંધ આપણા દેહમાં રહેલાં સૂક્ષ્મ ચક્રોશક્તિનાં કેન્દ્રો તથા સહસાર અથવા કુલ સાત શક્તિ કેન્દ્રો સાથે પણ દર્શાવવામાં આવે છે. પહેલી ગાથા મૂલાધાર ચક્રમાં ચિત્તને કેન્દ્રિત કરીને બોલવાની હોય છે. બીજી ગાથા સ્વાધિસ્થાન ચક્રમાં, ત્રીજી મણિપુર ચક્રમાં, ચોથી અનાહત ચક્રમાં, પાંચમી વિશુદ્ધિ ચક્રમાં, છઠ્ઠી આજ્ઞાચક્રમાં અને સાતમી સહસાર ચક્રમાં પ્રણિધાનપૂર્વક બોલવાની હોય છે. લોગસ્સની ગાથાઓની સંખ્યા સાત છે એ આકસ્મિક કે નિપ્રયોજન નથી. એ સાતની સંખ્યામાં વિશિષ્ટ અર્થ અને સંકેત રહેલો લોગસ્સ સૂત્રમાં ૨૪ તીર્થકરોનાં નામો બીજી, ત્રીજી અને ચોથી એમ ત્રણ ગાથામાં આપવામાં આવ્યાં છે. દરેક ગાથામાં આઠઆઠ તીર્થકરોનાં નામ આવે એવી સરખી વહેંચણી કરવામાં આવી છે. મંત્રસ્વરૂપ આ ત્રણ ગાથાઓમાં તીર્થકરોનાં ૮૪ ૮ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy