SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ માત્ર નામ જ આપવામાં આવ્યાં છે. તેની સાથે બહુમાનસૂચક શબ્દો જેવા કે સિરિ (શ્રી), નાહ (નાથ), દેવ, પ્રભુ વગેરે શબ્દો આગળ કે પાછળ પ્રયોજવામાં આવ્યા નથી. જ્યાં ચોવીસ તીર્થંકરોની ગણના હોય ત્યાં આવાં ફક્ત નામો જ ગણાવવામાં આવ્યાં હોય એવું અન્યત્ર પણ જોવા મળે છે. ‘નંદીસૂત્ર’માં તિત્થય૨ાવલીના પાઠમાં એ પ્રમાણે છે. તદુપરાંત બૃહત્ક્રાંતિ સ્તોત્ર એનું સુપ્રસિદ્ધ ઉદાહરણ છે. આમાં તીર્થંકરોનાં નામની ક્રમિક સંકલના કવિતા કે ભાષાગૌરવની દૃષ્ટિએ જ ફક્ત ન કરતાં મંત્રસ્વરૂપ અક્ષરોની દૃષ્ટિએ કરવામાં આવી છે. લોગસ્સની આ ત્રણ ગાથાઓ, એટલા માટે, મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની છે. આ ગાથાઓમાં આવતાં ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં નામ વ્યાકરણની દૃષ્ટિએ બીજી વિભક્તિમાં પ્રયોજવામાં આવ્યાં છે. બીજી વિભક્તિમાં શબ્દ અંત્ય વ્યંજન ઉ૫૨ અનુસ્વાર (અનુનાસિક વ્યંજન મૂ) એટલે બિંદુ આવે છે. પરંતુ આમાં ચોવીસ તીર્થંકરનાં ચોવીસ નામ ઉપર ચોવીસ બિંદુ નથી આવતાં. સમાસની રચના કરવાથી બિંદુઓની સંખ્યા ઘટાડી શકાય છે. તેમ છતાં ‘વંદે’ અને વંદામિ’ શબ્દમાં અને તીર્થંકરોનાં નામ ઉ૫૨ આવતાં બિંદુઓ મળીને કુલ ૩૫ બિંદુઓનું આયોજન આ ત્રણ ગાથામાં છે. પહેલી ગાથામાં બાર બિંદુ છે, બીજી ગાથમાં બાર બિંદુ છે અને ત્રીજી ગાથામાં અગિયાર બિંદુ છે. બિંદુના અનુનાસિક ઉચ્ચારણમાં વિશિષ્ટ નાદ અને કલા રહેલાં હોય છે. બિંદુની એ સૂક્ષ્મ અવસ્થાઓ છે. ૫રમાત્માનું ધ્યાન ધરતી વખતે એ બિંદુનો પણ ખ્યાલ રાખવાનો હોય છે. ઓમકાર બિંદુસંયુક્ત એક બિંદુનો સ્પષ્ટ અલગ નિર્દેશ કરીને બતાવ્યું છે કે ૫રમાત્માના નામનું ઉચ્ચારણ બિંદુયુક્ત જ્યારે કરવામાં આવે છે ત્યારે તે ભૌતિક દૃષ્ટિએ ‘કામદ’ – ઇચ્છાઓ પૂરી કરનાર અને મોક્ષદ’ મોક્ષ આપનાર નીવડે છે. (આ દર્શાવવા માટે કામદ અને મોક્ષદં શબ્દો પણ બિન્દુસહિત પ્રયોજાયા છે.) લોગસ્સની આ ત્રણ ગાથામાં અવ્યય ઘ નો ઉપયોગ અગિયાર વખત કરવામાં આવ્યો છે. એમ દસ વખત હૈં નો અર્થ ‘અને’ થાય છે અને સુર્વાનં ૬ પુખ્તવંત માં જ્ઞ નો અર્થ ‘અથવા' થાય છે. સંસ્કૃત ભાષા એટલી અનુકૂળ છે કે આ ત્રણે ગાથામાં હૈં અવ્યયનો ઉપયોગ ફક્ત ત્રણચાર વખત કરવા ધાર્યો હોય તોપણ ચાલી શકે. પરંતુ આ ગાથાઓમાં 7 નો ઉપયોગ વિશેષ ધ્યાન ખેંચે છે. ગાથા છંદની પંક્તિઓ લખતી વખતે 7 જેવો એક માત્રાવાળો વર્ણાક્ષર પાદપૂરક તરીકે ઉપયોગી થઈ શકે છે, તેમ છતાં એના અહીં થયેલા ઉપયોગમાં એક યોજના રહેલી છે. નામોની પહેલી ગાથામાં ચાર વખત, બીજી ગાથામાં ચાર વખત અને ત્રીજી ગાથામાં ત્રણ વખત દ્યનો ઉપયોગ થયો છે. એક, બે કે ત્રણ તીર્થંકરોનાં નામ પછી જે 7 આવે લોગસ્સ સૂત્ર * ૮૫ Jain Education International - For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy