SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સ્રાબ્વેતુ અહિયં વાસયરા એમ બોલતાં છેવટે હોમ્સ ઇગ્નોસરે પદ સાથે કાઉસગ્ગ પૂરો કરે છે. પ્રણિધાન માટે વિપરીત ક્રમ પણ ઉપયોગી થાય છે. લોગસ્સનો કાઉસગ્ગ શ્વાસોચ્છ્વાસ પ્રમાણે જે કરવાનો હોય છે તેમાં સાથે ધ્યાન પણ સંકળાયેલું હોય છે. પરંતુ જે પૂર્ણ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે તેમાં મંત્રજાપ હોય છે, નામ સ્તવના હોય છે. નામ સ્તવનાનું મહત્ત્વ પણ ઓછું નથી. એટલા માટે લોગસ્સના કાઉસગ્ગ પછી તરત હંમેશાં પ્રગટ લોગસ્સ બોલવાનો હોય છે અને તે સંપૂર્ણ લોગસ્સ જ હોય છે. વાણીના પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી એમ ચાર પ્રકાર બતાવવામાં આવે છે. પરા એટલે દિવ્ય વાણી, વૈખરી વાણી એટલે પ્રગટ ઉચ્ચારણ. વાણીનો એ સ્થૂલ પ્રકાર છે. કાઉસગ્ગ મનમાં જ્યારે ચાલતો હોય છે ત્યારે વાણી મધ્યમામાંથી ધીમે ધીમે પશ્યન્તી અને પાની કક્ષા સુધી પહોંચે છે. સાધકની સાધના ઉપર એનો આધાર રહે છે. તીર્થંકર પરમાત્માનાં પરમ પવિત્ર અને પરમ પુણ્યવંત નામોના વાચક શબ્દોનું વૈખરી વાણીમાં પ્રગટ ઉચ્ચારણ પણ આરાધકના હૃદયમાં અનન્ય ભક્તિ અને શ્રદ્ધા પ્રગટાવે છે, બોધિની વિશુદ્ધિ કરાવે છે અને સવિકલ્પ તથા નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચવામાં સહાયક બને છે. એટલા માટે લોગસ્સના પ્રગટ ઉચ્ચારણની પણ આવશ્યકતા રહે છે. લોગસ્સના કાઉસગ્ગના વિષયમાં જેમ પ્રયોજન મોટું તેમ કાઉસગ્ગ મોટો હોય છે. દુ:સ્વપ્ન તથા દુઃખક્ષય કે કર્મક્ષય માટે રોજેરોજ પ્રતિક્રમણમાં કરાતો કાઉસગ્ગ ચાર લોગસ્સનો હોય છે. પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક પ્રતિક્રમણમાં ૧૨, ૨૦ અને ૪૦ લોગસ્સનો કાઉસગ્ગ હોય છે. ફિરદાભેદે આ સંખ્યામાં થોડો ફેર હોય છે.) ઉપધાન કરનારા આરાધકોએ એ તપ દરમિયાન રોજ ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે, નવ પદની આરાધના અને વીસ સ્થાનકની આરાધનામાં પણ તે પ્રમાણે લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે. અકબર પ્રતિબોધક શ્રી. હીરવિજયસૂરીશ્વરજી મહારાજને રોજ ઊભાં ઊભાં સો લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો નિયમ હતો.) કોઈ વિશિષ્ટ મોટું શુભ પ્રયોજન હોય અથવા સંઘ ઉપર કંઈ આપત્તિ કે ઉપદ્રવ હોય, તીર્થક્ષેત્રમાં કંઈ ઉપદ્રવો હોય અથવા ઉપદ્રવો ન થાય તે માટે પણ લોગસ્સના કાઉસગ્ગનું વિધાન છે. - લોગસ્સના કાઉસગ્ગનું મહત્ત્વ શાસ્ત્રકારોએ એટલું બધું બતાવ્યું છે કે રોજેરોજ અવશ્ય કર્તવ્યરૂપ આ કાઉસગ્ગ ન ક૨વામાં આવે તો તેને દોષ – અતિચાર લાગે છે એમ કહ્યું છે. પાક્ષિક ઇત્યાદિ પ્રતિક્રમણમાં બોલાતા અતિચારમાં (તપાચારના અતિચારમાં) કહ્યું છે કે ‘કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દસ વીસનો કાઉસગ્ગ લોગસ્સ સૂત્ર * ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy