SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ યોગાનુભૂતિને આધારે આ પદસંખ્યા નક્કી કરી હશે. આપણે જે પ્રશ્ન થાય છે તેનો વિચાર તેઓએ અવશ્ય કર્યો જ હશે. કોઈ પણ એક ધાર્મિક ક્રિયા કરતી વખતે અથવા એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં જતી વખતે તન અને મન જરા પણ ક્ષુબ્ધ હોય તો તેને શાંત કરવા માટે શ્વાસોચ્છુવાસનું નિયમન ઉપકારક થાય છે. કાઉસગમાં કાયાને નિશ્ચલ કરવા સાથે ચિત્તને શાંત, સ્વસ્થ, અને એકાગ્ર કરવા માટે પચીસ શ્વાસોચ્છવાસ જેટલા કાળની માત્રા યોગ્ય ગણાઈ હશે ! એકસરખો કાઉસગ્ગ હોવા છતાં તે દરેકની કાળની માત્રા એકસરખી નથી હોતી. શ્વાસોચ્છુવાસ સાથે જોડ્યા વગરના કાઉસગ્નમાં બે વ્યક્તિઓ વચ્ચે કાળની માત્રા એકસરખી ન પણ રહે. શ્વાસોચ્છવાસ સાથે જોડેલા કાઉસગ્નમાં કાળની માત્રાનું એકસરખાપણું વિશેષ રહી શકે છે. વળી તેમાં ચિત્તનો ઉપયોગ પણ વિશેષ રહે છે. શ્વાસોચ્છવાસવાળો કાઉસગ્ગ ચક્રોમાં ન્યાસપૂર્વક અનુક્રમે ધ્યાનને કેન્દ્રિત કરતાં કરતાં “ચંદેસુ નિમ્મલયરા” પદ વખતે મસ્તકમાં ઉપર સહસારને સ્પર્શ થઈ જાય છે માટે ત્યાં જ અટકી જવાનું હશે એવું પણ એક અનુમાન થાય છે. ચોવીસ તીર્થંકરના ચોવીસ શ્વાસોચ્છવાસ અને ચતુર્વિધ સંઘસ્વરૂપ તીર્થકરને માટે પૂર્ણાહુતિરૂપ કળશનો એક શ્વાસોચ્છવાસ એ રીતે કુલ પચીસ શ્વાસોચ્છવાસ થાય એવું પણ અનુમાન કરાય છે. કેટલાક કાઉસગ્ગ “સાગરવર ગંભીરા સુધી ૨૭ શ્વાસોચ્છુવાસ પ્રમાણે કરવાનું વિધાન છે. તેમાં “ચંદેસુ નિમ્મલયરા' – એ ચંદ્રનાડી માટે છે. “આઇએસુ અહિયં પયાસરા' – એ આદિત્ય એટલે કે સૂર્ય નાડી માટે છે અને “સાગરવર-ગંભીરા' – એ સુષુમણા નાડીના ઉદ્દઘાટન માટે છે એવું પણ અનુમાન કરાય છે. અલબત્ત, આ અનુમાનો છે. કાઉસગ્ગની અનુભૂતિ ઘણી સૂક્ષ્મ, ગહન અને રહસ્યમય છે. એનો સંપૂર્ણ પાર પામી શકવાનું દુષ્કર છે. પૂર્ણ લોગસ્સના કાઉસગ્ગમાં પણ શ્વાસોચ્છવાસ અને ચિત્તની એકાગ્રતા માટે અન્ય પ્રયોગો પણ થાય છે. પ્રાણાયામમાં શ્વાસની પૂરક, કુંભક અને રેચકની પ્રક્રિયા છે. શ્વાસ લેવો તે પૂરક, શ્વાસ રોકી રાખવો તે કુંભક અને ઉચ્છવાસ એટલે કે શ્વાસ બહાર કાઢવો તે રેચક. કેટલાક પૂરક પછી કુંભક કરી સંપૂર્ણ લોગસ્સનો કાઉસગ્ન કરી લે છે અને પછી રેચક કરે છે, કેટલાક રેચક પછીના કુંભકમાં સંપૂર્ણ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. આમ એક જ કુંભકમાં એક લોગસ્સનો કાઉસગ્ગ મહાવરાથી કરી શકાય છે. એક જ કુંભક ચિત્તની એકાગ્રતામાં સહાયભૂત થાય છે. કેટલાક શ્વાસોચ્છવાસની ક્રિયા સાથે લોગસ્સનો કાઉસગ્ગ અંતિમ પદથી વિપરીત ક્રમે કરે છે. એટલે પહેલાં સિદ્ધા સિદ્ધ મમ વિસંત, પછી સારવાર મારા પછી ૮૨ કિ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy