SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનયોગ છે. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજ્યજી મહારાજે દર્શાવ્યું છે તે પ્રમાણે યોગના આ પાંચે પ્રકારનો પ્રયોગ લોગસ્સમાં થયો છે. લોગસ્સની પહેલી ગાથામાં સ્થાનનો, બીજી, ત્રીજ અને ચોથી ગાથામાં વર્ણનો અને પાંચમી ગાથામાં અર્થનો ઉપયોગ છે. છઠ્ઠી ગાથામાં આલંબનનો ઉપયોગ છે. આ આલંબનથી સાધકને નિર્મળ બોધિલાભ, ઋતંભરા પ્રજ્ઞા, વરસમાધિ, સર્વોત્કૃષ્ટ ભાવસમાધિનો અનુભવ થાય છે. અહીં બીજું અપૂર્વકરણ થાય છે; કુંડલિની શક્તિનો સાક્ષાત્કાર થાય છે. સાતમી ગાથામાં નિરાલંબન ધ્યાન છે. અહીં અમનસ્કતા હોય છે; ધ્યાતા અને ધ્યેયની અભિન્નતા હોય છે; નિર્વિકલ્પ સમાધિ, ચિત્તની પ્રશાંતવાહિતા હોય છે. કાઉસગ્ગમાં ક્યારેક સંપૂર્ણ લોગ બોલવાનો હોય છે. અને ક્યારેક ચંદેસુ નિમ્મલયરા’ સુધી બોલવાનો છે. (કેટલીક ક્રિયામાં સાગરવર ગંભીરા સુધી બોલવાનો હોય છે) ‘રાંદેતુ નિમ્મલયરા' સુધી બોલવાના લોગસ્સમાં યોગપ્રક્રિયા જોડાયેલી છે. એ લોગસ્સનાં પદોનું ઉચ્ચારણ શ્વાસોશ્વાસ સાથે જોડાયેલું હોવું જોઈએ. પૂર્વાચાર્યાએ ‘પાયસમા ઉસાસા' એટલે જે જેટલાં પદ એટલા શ્વાસોશ્વાસ એ પ્રમાણે લોગસ્સનો કાઉસગ્ગ ‘ચંદ્રેશુ નિમ્મલયા’ પદ સુધી કરવાનો કહ્યો છે. કોઈને પ્રશ્ન થાય કે આમ અપૂર્ણ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનું કેમ વિધાન હશે ? પરંતુ આ કાઉસગ્ગમાં સૂત્રના સંપૂર્ણ ઉચ્ચારણ કરતાં સૂત્રનાં પદોના ધ્યાન સાથે શરીરમાં ચાલતી શ્વાસોચ્છ્વાસની ક્રિયા મહત્ત્વની છે. એટલે ‘ચંદ્રેસ નિમ્મલયા' સુધીનાં પચ્ચીસ પદ પ્રમાણે એક લોગસ્સના કાઉસગ્ગમાં પચ્ચીસ વાર શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરવાની હોય છે, કારણ કે લોગસ્સનો આ પ્રકારનો કાઉસગ્ગ યોગપક્રિયા સાથે જોડાયેલો છે. એથી શ્વાસોચ્છ્વાસની ગતિ નિયમબદ્ધ બને છે. કાઉસગ્ગમાં ચિત્ત વધુ કેન્દ્રિત બને છે. લોગસ્સના શબ્દો અને વર્ણો પ્રાણવાયુ સાથે એકરૂપ થઈ જાય છે. એવી રીતે વ્યવસ્થિત, પદ્ધતિસર, ઉતાવળ વિના, પૂરી સ્વસ્થતાથી કાઉસગ્ગ કરનાર આરાધક પદો સાથે એક પ્રકારનો લય અનુભવે છે. મંત્રશાસ્ત્રમાં એને ‘લયયોગ’ કહેવામાં આવે છે. લયયોગ સહિતના ધ્યાનવાળો કાઉસગ્ગ કર્મક્ષય વગેરેમાં વિશેષ ફળ આપનારો છે એમ શાસ્ત્રકારો કહે છે. હવે પ્રશ્ન એ થાય છે કે ‘પાયસમા ઉસાસા’ અર્થાત્ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયા’ સુધી શા માટે ? ‘સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ' એ છેલ્લા પદ સુધી ન કરી શકાય ? પચીસ પદને બદલે અઠ્ઠાવીસ પદ સુધીનો સંપૂર્ણ લોગસ્સનો એવો કાઉસગ્ગ ન કરી શકાય ? આ પ્રશ્નનો જવાબ એ છે કે આ યોગપ્રક્રિયાની એક સૂક્ષ્મ બાબત છે અને યોગવિદ્યામાં પ્રવીણ, લબ્ધિ સિદ્ધિના જાણકાર અને મંત્રશાસ્ત્રના મર્મજ્ઞ એવા ગણધર ભગવંતોએ અને તે સમયના પૂર્વાચાર્યોએ પોતાની સૂક્ષ્મ લોગસ્સ સૂત્ર ૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy