SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ વિભક્તિ બહુવચનનાં રૂપો પંચમીના અર્થમાં વપરાયાં છે; મને ના અર્થમાં “મને અને “મ' એ બે રૂપો વિકલ્પ વપરાયાં છે; તથા વન્દ્ર ધાતુ ઉપરથી વેટું (આત્માનપદ) તથા વંમિ પરઐપદ) એ બે રૂપો વિકલ્પે વપરાયાં છે. આ બધી લાક્ષણિકતાઓ લોગસ્સની ભાષાની આર્ષતા, પ્રાચીનતા દર્શાવે છે. લોગસ સૂત્ર સાત ગાથામાં લખાયેલું છે. એની પહેલી ગાથા સિલોગ (શ્લોક) નામના અક્ષરમેળ છંદમાં છે. ત્યાર પછીની છ ગાથાઓ ગાહા (ગાથા-સંસ્કૃતમાં આયછંદ) નામના માત્રામેળ છંદમાં છે. સિલોગ (શ્લોક) છંદ પ્રાકૃત ભાષામાં પ્રાચીન સમયથી વપરાતો આવ્યો છે. જૈન આગમ ગ્રંથોમાં તે ઘણે સ્થળે વપરાયેલો જોવા મળશે. ચાર ચરણના આ છંદનાં પ્રથમ ત્રણ ચરણ આઠ આઠ અક્ષરનાં હોય છે અને છેલ્લું ચરણ આઠ અથવા નવ અક્ષરનું હોય છે. આઠ અક્ષરનાં ચાર ચરણવાળો છંદ અનુછુપ જાતિનો ગણાય છે. તેમાં લઘુગુરુના સ્થાનની દૃષ્ટિએ ૨૫૬ જેટલા ભેદ બતાવવામાં આવે છે. ગાહા છંદના કેટલાક પેટા પ્રકારો છે. લોગસ્સની બીજીથી સાતમી સુધીની ગાથા અનુક્રમે (૧) હંસી, (૨) લક્ષ્મી, (૩) માધવી, (૪) જાનવી, (૫) લક્ષ્મી અને (૬) વિદ્યુત નામના ગાહા છંદમાં રચાયેલી છે. આ ઉપરથી જોઈ શકાશે કે લક્ષ્મીગાહા છંદ લોગસ્સામાં બે વાર પ્રયોજાયો છે. બાકીના છંદો એક એક વાર પ્રયોજાયા છે. આમ સાત ગાથાના આ નાનકડા સૂત્રમાં છ જુદા જુદા છંદ પ્રયોજાયા છે એ એની મહત્તા દર્શાવે છે. ગાથા છંદના ઉચ્ચારણમાં પણ કેટલીક સહેતુક લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવે છે. પિંગળશાસ્ત્રીઓના મંતવ્ય પ્રમાણે પ્રાકૃત પિંગળસૂત્ર-પ૬) ગાથા છંદનું પહેલું ચરણ સિંહની ગર્જનાની જેમ ઉચ્ચ સ્વરે બોલવું જોઈએ; ત્રીજુ ચરણ હાથીની ચાલની જેમ લાલિત્યથી બોલવું જોઈએ અને ચોથું ચરણ સર્પની ગતિની જેમ ડોલતાં ડોલતાં ગાવું જોઈએ. લોગસ્સની ગાથાઓનું આ રીતે ઉચ્ચારણ કરવાથી એક વિશિષ્ટ પ્રકારનો આહૂલાદ અનુભવાય છે. એટલા માટે ગાથા છંદ પવિત્ર મનાયો છે અને પ્રાચીન દાર્શનિક સાહિત્યમાં તે સવિશેષ પ્રયોજાયો છે. દેવવંદન ભાષ્યમાં દર્શાવ્યું છે તે પ્રમાણે નામસ્તવમાં – લોગસ્સ સૂત્રમાં સાત ગાથા (છંદશાસ્ત્રની દષ્ટિએ પ્રથમ શ્લોક અને પછી છ ગાથા) છે, તેમાં કુલ ૨૮ પદ છે. અને તેની સંપદા (અર્થનું વિશ્રામસ્થાન) પણ ૨૮ છે. લોગસ્સસૂત્રમાં અક્ષરો ૨૫૬ છે. આ અક્ષરોનું વિભાજન નીચે પ્રમાણે છે: પ્રથમ શ્લોક-૩ર અક્ષર, બીજી ગાથા-અક્ષર ૩૦, ત્રીજી ગાથા –૩૬, ચોથી ગાથા-૩૫, પાંચમી ગાથા-૪૧, છઠ્ઠી ગાથા-૩૬, સાતમી ગાથા-૩૭ = કુલ અક્ષર ૨૫૬. લોગસ્સ સૂત્ર - ૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy