SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ दंसणयारविसोही चउवीसायत्थएण किच्चइ य । अच्चमुअगुणकित्तण वेण जिणवरिंदाणं ॥ જિનવરેન્દ્રના અતિ અદ્ભુત ગુણકીર્તનરૂપ ચતુર્વિશતિસ્તવથી દર્શનાચારની વિશુદ્ધિ થાય છે.) આમ દર્શનવિશુદ્ધિ અર્થાત્ સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે ચોવીસ તીર્થંકરોની સ્તુતિ સારી રીતે થાય છે. એટલે જ લોગસ્સ સૂત્ર સમ્યક્ત્વની વિશુદ્ધિ માટે એક પ્રબળ સાધન ગણાયું છે. ‘આવશ્યક સૂત્ર’માં લોગસ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરથી લોગસ્સ એ સૂત્ર છે એ તો સ્પષ્ટ રીતે ફલિત થાય છે. સૂત્રમાં ઓછામાં ઓછા શબ્દોમાં, પુનરુક્તિ કે સંદિગ્ધતાના દોષ વિના, સંક્ષેપમાં વિષયના સારતત્ત્વનું નિરૂપણ કરવામાં આવે છે. સૂત્ર કંઠસ્થ કરી શકાય એવું હોવું જોઈએ. તે પદ્યમાં પણ હોય અને ગદ્યમાં પણ હોય, પરંતુ તે વ્યાકરણશુદ્ધ હોવું જોઈએ તથા તેનું અર્થવિવરણ કરી શકાય એવું તે હોવું જોઈએ. લોગસ્સ એ દૃષ્ટિએ એક ઉત્તમ સૂત્ર છે. લોગસ્સ સૂત્ર મધુર પદ્યમાં છે એ એની વિશિષ્ટતા છે. ચેઇય વંદન ભાસ (ચૈત્ય વંદન ભાષ્ય)માં દેવેન્દ્રસૂરિએ નીચે પ્રમાણે પાંચ દંડક સૂત્રો બતાવ્યાં છે. (૧) સક્કત્થય (શક્રસ્તવ) (૨) ચેઇયત્થય (ચૈત્યસ્તવ) (૩) નામર્ત્યય (નામસ્તવ) (૪) સૂયત્યય (શ્વેતસ્તવ) (૫) સિદ્ધત્થય (સિદ્ધસ્તવ) દંડકના પ્રકારનાં આ પાંચ સૂત્રોમાં ‘નમુન્થુણં' સૂત્ર એ શક્રસ્તવ તરીકે ઓળખાય છે. ‘અરિહંત ચેઈઆણં' સૂત્ર ચૈત્યસ્તવ તરીકે, ‘લોગસ્સ’ સૂત્ર નામસ્તવ તરીકે, પુખ઼રવાદિવઢે' શ્રુતસ્તવ તરીકે સિદ્ધાણં બુદ્ધાણં' સિદ્ધસ્તવ તરીકે ઓળખાય છે. આમ ‘લોગસ્સ સૂત્ર’ એ નામસ્તવ તરીકે પ્રાચીન સમયથી જાણીતું છે. તેમાં ૨૪ તીર્થંકરોની સ્તુતિ એમના નામોલ્લેખ સાથે કરવામાં આવી છે. લોગસ્સ સૂત્રની ભાષા અર્ધમાગધી અથવા આર્ષ પ્રાકૃત છે. એમાં એક પણ દેશ્ય શબ્દ નથી એ નોંધવું જોઈએ. લોગસ્સમાં વિત્તિમાંં ને બદલે વિત્તમં જેવો પ્રયોગ થયો છે; પ્રયત્ન અને સિગ્ગસ એ બે નામો બીજી વિભક્તિમાં પ્રયોજાયાં હોવા છતાં તેમાં વિભક્તિનો પ્રત્યય લાગ્યો નથી; ચંવેતુ અને ગજ્વેતુ એ બે સાતમી ૭૬ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy