SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આ સૂત્રનું મહત્ત્વ સમજાશે. નીચેની કૃતિઓમાં લોગસ્સ ઉપર અર્થપ્રકાશ જોવા મળે છે : (૧) મહાનિશીથ સૂત્ર તથા (૨) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (શ્રી સુધર્મસ્વામી ગણધર), (૩) ચઉસરણ પઈન્વય (શ્રુતસ્થવિર), જી આવશ્યક નિર્યુક્તિ (શ્રી ભદ્રબાહુસ્વામી), (૫) નંદિસૂત્ર (શ્રી દેવવાચક), (૬) અનુયોગ દ્વાર (શ્રુતસ્થવિર), (૭) આવશ્યક ચૂર્ણિ (શ્રી જિનદાસ ગણિ મહત્તર), (૮) આવશ્યક ભાષ્ય (શ્રી ચિરંતનાચાર્ય), (૯) આવશ્યક ટીકા તથા (૧૦) લલિતવિસ્તાર (શ્રી હરિભદ્રસૂરિ), (૧૧) ચૈત્યવંદન મહાભાષ્ય (શ્રી શાંતિસૂરિ), (૧૨) યોગશાસ્ત્ર વિવરણ (શ્રી હેમચંદ્રાચાર્ય), (૧૩) દેવવંદન તથા (૧૪) વંધ્રવૃત્તિ ભાષ્ય (શ્રી દેવેન્દ્રસૂરિ), (૧૫) આચાર દિનકર (શ્રી વર્ધમાનસૂરિ), (૧૬) ધર્મસંગ્રહ (શ્રી માનવિજય ઉપાધ્યાય). લોગસ્સ સૂત્રના અને એના ઉપરના વિવેચનના જુદી જુદી ભાષામાં અનુવાદો થયા છે. લોગસ્સ સૂત્ર વિશે ગુજરાતીમાં પણ કેટલાક ગ્રંથો પ્રગટ થયા છે. જિનેશ્વર ભગવાનનાં નામોનું રટણ કે સ્મરણ ભવ્ય જીવોને ઉપકારક થાય છે. તીર્થંકર પરમાત્માઓના નામસ્તવનથી તેમના ગુણોનું સ્મરણ થાય છે અને જીવોને પોતાના આત્મામાં રહેલા તેવા પ્રકારના ગુણોને વિકસાવવાની પ્રેરણા થાય છે. નામસ્તવ દ્વારા કીર્તન-વંદનથી જીવને પરમ આનંદોલ્લાસનો અનુભવ થાય છે. જેમ પોતાનાં પ્રિયજનને નામ દઈને બોલાવતી વખતે, ફક્ત એ નામના ઉચ્ચારણમાં પણ બહુ આનંદ અનુભવાય છે, તેમ અરિહંત પરમાત્માના નામના ઉચ્ચારણ વખતે અનહદ આનંદ અનુભવાય તે સ્વાભાવિક છે. જિનેશ્વર ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરવામાં આવે તો તે નમસ્કાર જીવને સંસારસાગરમાં ડૂબતા બચાવે છે; શ્રદ્ધાપૂર્વક કરેલા વંદનથી અશુભ કર્મનો ક્ષય થાય છે અને આત્મા વિશદ્ધ બને છે. જિનેશ્વર ભગવાનની સ્તુતિથી બોધિ (સમ્યગુદર્શનનો લાભ થાય છે, બોધિની વિશુદ્ધિ થાય છે. આમ આ સ્તુતિ ભવોભવ બોધિવિશુદ્ધિનો લાભ કરાવે અને સાવદ્ય યોગથી વિરમવા માટે પ્રેરક બળ બની રહે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીસમા અધ્યયનમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે હવસત્થા અંતે નીવે િનય? કે હે ભગવાન ! ચતુર્વિશતિસ્તવન અર્થાતુ ચોવીસ તીર્થકરોની સ્તુતિથી જીવને શો લાભ થાય છે ? ભગવાને કહ્યું: ઘઉંવીત્યા હંસગવિસર્ટિ નય-ચતુર્વિશતિસ્તવથી જીવન દર્શનવિશુદ્ધિનો લાભ થાય છે. ચઉસરણ પછણયમાં પણ કહ્યું છે : લોગસ્સ સૂત્ર છે ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy