SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ ઉપરાંત નામસ્તવ, નામથય, નામજિઙ્ગત્થય તથા ઉજ્જોઅ, ઉજ્જોઅગર, ઉજ્જોયગર જેવાં નામો પણ પ્રયોજાયાં છે. આમ લોગસ્સ સૂત્ર માટે વિવિધ નામો પ્રયોજાયાં છે. તેમ છતાં આજ સુધી ‘લોગસ્સ'ના નામથી તે સૂત્ર વિશેષ પ્રચલિત રહ્યું છે. કેટલાંક સૂત્રોનાં નામ એના વિષયને અનુરૂપ ગુણનિષ્પન્ન હોય છે. લોગસ્કમાં તીર્થંકરોનું ગુણોત્કીર્તન છે. આ સૂત્રમાં પ્રથમ શબ્દ નોમ્સ છે. એટલે પ્રથમ શબ્દ ઉપરથી આ સૂત્રને બ્લોગસ્સ સૂત્ર' તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્રના વિષયને અનુરૂપ ચતુર્વિંશતિસ્તવ, ચઉવિસત્થો, નામસ્તવ ઇત્યાદિ નામો હોવા છતાં તે લોગસ્સ’ના નામથી વિશેષ પ્રચલિત છે. સૂત્ર. કવિતા, ગ્રંથ ઇત્યાદિ નામ તેના વિષય પ્રમાણે, તેના ગુણલક્ષણ પ્રમાણે આપવાનો રિવાજ છે, પરંતુ એક જ વિષય ઉપ૨ ઘણીબધી કૃતિઓ હોય ત્યારે તે ઉ૫૨થી અપાયેલાં નામો એકસરખાં થઈ જવાનો અને તેથી તેમાં ગોટાળો થવાનો સંભવ રહે છે. પરંતુ કૃતિને તેના પ્રથમ શબ્દથી જો ઓળખવામાં આવે તો એક જ વિષય ઉપર ઘણી બધી કૃતિઓ હોવા છતાં તેમાં ગોટાળો થવાનો સંભવ રહેતો નથી. આથી જ પ્રાચીન કાળથી, વિશેષતઃ જૈન પરંપરામાં અનેક કૃતિઓ તેના આદ્ય શબ્દ ઉપરથી ઓળખાય છે. બાળજીવોને પણ પ્રથમ શબ્દ ઉપરથી કૃતિને સરળતાથી ઓળખવાનું અને યાદ રાખવાનું વધુ ગમે છે. ઈરિયાવહી, નમુક્ષુછ્યું, અન્નત્થ, નમિઉણ, ભક્તામર, કલ્યાન્નમંદિર, સકલાર્હત વગેરે કૃતિઓની જેમ લોગસ્સ સૂત્ર પણ એના પ્રથમ શબ્દ ઉપરથી ઓળખાય છે. લોગસ્સ સૂત્ર ૪૫ આગમોમાંથી ચાર મૂલ આગમોમાંના આગમ સૂત્ર તે આવશ્યક સૂત્ર (આવસ્સયસુત્ત)માં જોવા મળે છે. પ્રત્યેક જૈને રોજેરોજ અવશ્ય ક૨વાનાં એવાં છ કર્તવ્યો એમાં બતાવ્યાં છે : (૧) સામાયિક (૨) ચઉવિસત્થો (૩) ગુરુવંદન (૩) પ્રતિક્રમણ (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચક્ખાણ. આ છ આવશ્યક કર્તવ્ય આવશ્યક'ના ટૂંકા નામથી જ પ્રચલિત છે. એમાં બીજું કર્તવ્ય તે ચઉવિસત્થો છે. એટલે ચતુર્વિશતિસ્તવ અર્થાત્ ચોવીસ તીર્થંકરોની સ્તુતિ. ભગવાન મહાવીર સ્વામીના ગણધર ભગવંતોએ રચેલા લોગસ્સ સૂત્રમાં ચોવીસ તીર્થંકરોની સ્તુતિ છે. એ સ્તુતિ જૈનોએ રોજેરોજ અવશ્ય કરવાની હોય છે. સાત ગાથાની આ રચનાના પઠન-પાઠન ઉપરાંત આધ્યાત્મિક અનુભૂતિની દૃષ્ટિએ અર્થઘટન કરી પોતપોતાની અનુભૂતિના આધારે તેના ઉપર પ્રકાશ પાડવાનું ઉપકારી કાર્ય સમયે સમયે મહાત્માઓએ કર્યું છે. લોગસ્સ સૂત્રના ઉલ્લેખો અને તેના ઉપર થયેલાં કેટલાંક વિવેચનો ઉપરથી જ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy