SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ બિરાજમાન થઈ અતિશયયુક્ત વાણી દ્વારા અપૂર્વ દેશના આપી જીવોને સન્માર્ગે વાળનારા તથા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી શાસન પ્રવતવનારા. (૩) જિન – રાગ અને દ્વેષને જીતનારા, ચાર ઘાતી કર્મોનો નાશ કરનારા. ) અરિહંત – અરિ એટલે શત્રુ. ઈન્દ્રિયો, વિષયો, કષાયો, પરીષહો, ઉપસર્ગો ઈત્યાદિરૂપ અરિ અથવા કર્મરૂપી અરિને હણનારા તે અરિહંત. અરિહંત શબ્દ અહંતુ શબ્દ ઉપરથી હોય તો વંદન, પૂજન, સત્કારને યોગ્ય, તથા સિદ્ધિગમનને જે યોગ્ય છે, જેઓ અષ્ટ મહાપ્રાતિહાર્યથી અને અતિશયોથી યુક્ત છે તે અરિહંત. (૫) કેવલી – જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, જેઓ કેવળજ્ઞાન દ્વારા પંચાસ્તિકાયાત્મક સંપૂર્ણ લોકને પ્રકાશનારા છે. (૬) વિહુય-રય-મલા – રજ એટલે ધૂળ અને મલ એટલે મેલ. રજ અને મલ એટલે કર્મરૂપી કચરો. એ જેમણે ખંખેરી નાખ્યો છે, સાફ કરી નાખ્યો છે, તે. રજ એટલે બંધાતું કર્મ અને મલ એટલે બંધાયેલું કર્મ અથવા રજ એટલે બંધાયેલું કર્મ અને મલ એટલે નિકાચિત કર્મ. (૭) પહણજરમણા – જરા (વદ્ધાવસ્થા અને મૃત્યુ જેમનાં નષ્ટ થઈ ગયાં છે, જેઓ સિદ્ધ થઈ ગયા છે. (૮) જિણવરા – જિનવરો. ૯) તિસ્થયરા – તીર્થકરો. (૧૦) લોગસ્સ ઉત્તમા – પ્રાણીલોક તથા સુર-અસુર લોકમાં જે ઉત્કૃષ્ટ છે. (૧૧) સિદ્ધા – સિદ્ધગતિને, શિવગતિને, મોક્ષગતિને પામેલા. (૧૨) ચંદે નિમ્મલયરા – જેઓ અનેક ચંદ્રો કરતાં વધુ નિર્મળ છે. (૧૩) આઇએસ અહય પયાસયરા – જેઓ અનેક આદિત્યો એટલે કે સૂર્ય કરતાં વધુ પ્રકાશનારા છે. (૧૪) સાગરવર ગંભીર – જેઓ શ્રેષ્ઠતમ સાગર અર્થાતુ સ્વયંભૂરમણ સમુદ્ર જેવા અથવા તેથી વધુ ગંભીર છે. (૧૫) સિદ્ધા - મોક્ષગતિને પામેલા. આમ લોગસ્સ સૂત્રમાં તીર્થકરોનાં નામ સૂત્રશૈલીએ અને મંત્ર સ્વરૂપે વણી લેવા સાથે તીર્થંકર પરમાત્માને માટે વપરાતા વિવિધ શો પણ સરસ રીતે ગૂંથી. લેવાયા છે. તે પ્રત્યેક શબ્દમાં ઘણો ઘણો અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા રહેલી લોગસ્સમાં તીર્થકર માટેના શબ્દો ઉપરાંત કિત્તિય, વંદિય મહિયા, અભિથુઆ, અને પસીયંતુ, આરુગ્ગ, બોરિલાભ, સમાવિવર, સિદ્ધિ વગેરે શબ્દો પણ અર્થસૂચક રીતે યથાક્રમે પ્રયોજાયા છે. તે દરેકનો પણ ઠીક ઠીક અર્થવિસ્તાર થાય છે. ચોવીસ તીર્થંકરોનું નામસ્મરણ, સ્તવન, ધ્યાન આટલું બધું કેમ મહત્ત્વનું મનાયું છે તે આ શબ્દોના અર્થવિસ્તાર દ્વારા અનુપ્રેક્ષા કરીએ તો સહજ પ્રતીત થશે! અલબત્ત, ચોવીસ તીર્થકરોની એટલે કે અહંતુ તત્ત્વની, આહત્યની ઉપાસના કરવાની પાત્રતા મળવી એ જ ઘણી દુર્લભ વાત છે. ૭૨ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy