SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકના દસ પ્રકારના વચનના દોષ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે. कुवयण सहसाकारे, सछंद संखेव कलहं च । विगहा विहासोऽसुद्धं निरवेक्खो मुणमुणा दोसा दस ॥ (૧) કુવચનઃ સામાયિકમાં કુવચનો, અસભ્ય વચનો, તોછડા શબ્દો, અપમાનજનક શબ્દ, બીભત્સ શબ્દો વગેરે બોલવા તે. (૨) સહસાકારઃ અચાનક, અસાવધાનીથી, વિચાર્યા વિના, મનમાં જેવાં આવ્યાં તેવાં વચનો બોલી નાખવાં. (૩) સ્વચ્છંદ શાસ્ત્રસિદ્ધાંતની વિરુદ્ધ, સામાયિકનું ગૌરવ ન સચવાય એવા અસત્યમય, મનમોજી, હલકાં, સ્વચ્છેદી વચનો બોલવાં. જી સંક્ષેપઃ સૂત્રના પાઠ વગેરેમાં આવતા શબ્દો ઈત્યાદિ પૂરેપૂરાં ન ઉચ્ચારતાં તેનો સંક્ષેપ કરી નાખવો. અક્ષરો, શબ્દો ટૂંકાવી દઈને બોલવા. (૫) કલહઃ સામાયિકમાં બીજાની સાથે ક્લેશ-કંકાસ થાય, ઝઘડા થાય એવાં વચનો બોલવાં. વળી એવાં વચનો ઇરાદાપૂર્વક બોલવાં કે જેથી બીજા લોકો વચ્ચે કલહ થાય, ઝઘડા થાય, ક્લેશ-કંકાસ થાય, અણબનાવ થાય. (૬) વિકથા : ચિત્તને વિષયાંતર કરાવે અને અશુભ ભાવ કે ધ્યાન તરફ ખેંચી જાય એવી વાતોને વિકથા કહેવામાં આવે છે. એવી મુખ્ય ચાર પ્રચારની વિકથા. ગણાવવામાં આવે છે : સ્ત્રીકથા, ભક્તકથા, રાજકથા અને દેશકથા. (૭) હાસ્ય: સામાયિકમાં કોઈની મજાક ઉડાવવી, મશ્કરી કરવી, કયક્ષભય વચનો બોલવાં, બીજાને હસાવવા માટેનાં વચનો બોલવાં, બીજાનાં વચનોના ચાળા પાડવા, જાણીજોઈને ઊંચાનીચા અવાજો કરવા અને સામાયિકનું પૂરું ગાંભીર્ય ન સાચવવું. (૮) અશુદ્ધઃ જૈન ધર્મમાં શબ્દોના ઉચ્ચારણની શુદ્ધિ ઉપર બહુ ભાર મૂક્યો છે. કાનો, માત્રા વગેરે વધારે–ઓછાં બોલવાથી અને સ્વરવ્યંજનના અશુદ્ધ ઉચ્ચારો કરવાથી ઘણા અનર્થો થાય છે. (૯) નિરપેક્ષઃ સૂત્ર-સિદ્ધાંતની ઉપેક્ષા કરી, અસત્ય વચન બોલવું અથવા સમજ્યા વગર અવળી રજૂઆત કરવી. (૧૦) મુમુણ: મુણમુણ એટલે ગુણગુણ કરવું. સૂત્ર વગેરેનો પાઠ કરતી વખતે શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ ન કરતાં ઉતાવળે નાકમાંથી અડધા અક્ષરો બોલી ઝપાટાબંધ ગરબડાવી જવું. (દસમા દોષ તરીકે મુણમુણને બદલે આવાગમનની બીજાને સૂચનાઓ આપવી તેને દોષ તરીકે વિકલ્પ ગણાવવામાં આવેલ છે.) સામાયિકમાં કાયાના બાર પ્રકારના દોષ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે : ૬૨ ના જેન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy