________________
જણાય છે. આ ઘણે લંબાણ બાલાવબોધ શ્રી જામનગરના પુસ્તક ભંડારમાંથી મળે છે. ભાષા જૂની ગુજરાતી-મારવાડીથી મિશ્રિત પરંતુ સ્પષ્ટ અને જાણે સ્વબોધને જ માટે ન હોય તેમ જણાઈ આવે છે. સ્થળે સ્થળે અપૂર્વ નિર્મળતામાં થઈ તેમનું જ્ઞાન ઝળકી રહે છે.
સમાધિશતકનું ગુજરાતી ભાષાંતર હાલ પ્રકરણમાળામાં છપાયું છે. જૈનશાસન ભૂમિમાં જ્યાં ક્રિયારુચિ બહુ છે, જ્ઞાનરુચિ પણ થશે. અને તેમ થઈ જ્ઞાનરુચિદ્વારા ક્રિયારુચિમાં વૃદ્ધિ થશે, કારણ કે હૃદયમાં તે –
નિશ્રયદષ્ટિ હદય ધરી છે, પાળે જે વ્યવહાર;
પુણ્યવંત તે પામશે જી, ભવસમુદ્રને પાર.”
અને નિશ્રયદષ્ટિ એટલે આત્મજ્ઞાન આવા અધ્યાત્મગ્રંથેથી થવા સંભવ છે. એકલા ક્રિયા ક્રિયા કરનારા, ક્રિયાજડ થઈ જવાનો સંભવ છે. અને કેટલાક થઈ પણ ગયા છે. એટલું જ નહી પણ જ્ઞાનભીર પણ સાથે થયા છે. વળી એકલું જ્ઞાન જ્ઞાન કરનારા શક્કજ્ઞાની બની જવાને સંભવ છે, અને તેવા જ્ઞાની, ક્રિયાહીન થઈ ગયાની પણ હાલ ખોટ નથી. માટે જેમ ક્રિયા અવશ્યની છે, તેમ જ્ઞાન પણ અવશ્યનું જ છે. લાલનનું વળી એવું માનવું છે કે, જ્ઞાન જેની હાલ ન્યૂનતા જણાય છે, તેની ખરેખરી અધિકતા થતાં, ક્રિયા ન્યૂન થવાની નથી, પણ તે સાર્થ થવાથી રુચિકર, અધિક અને વિશુદ્ધ થવાની છે. અને એમ થયું તે ક્રિયા ફળવતી પણ થઈ શ્રી જૈનશાસન ઉદ્યાનને પણ શોભાવવાની જ છે. મધુના.
લાલન મુંબઈ સમતામંદિર,
સર્વને બંધુ અને શ્રી વીરપ્રભુને ૬-૧૨-૧૯૦૨
લઘુતમ બાળ
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org