SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં તમે મારી ધર્મપુત્રી છો. જરૂર પડે તમારા તરફની મેં છૂટ રાખી છે. સુશીલાને પણ કહ્યું છે. અને મારે માથે હાથ મૂક્યો. એ વખતે મારી આંખમાંથી અશ્રુ સરી પડ્યાં. મેં કહ્યું : પંડિતજી, ઉપકારનો કંઈક તો લાભ લેવા દો. ઋણ અદા કરવા દો. માથે હાથ ફેરવતાં કહે : મેં જે કંઈ આપ્યું તે મારું ક્યાં હતું? ભગવાનના કેવળજ્ઞાનના સાગરના સ્રોતનો એ લાભ હતો. વળી જરૂર પડે તમારે કરવાનું છે. પણ ક્યારેય જરૂર ઊભી થવા દીધી નહિ. એક વાર તેઓ બીમાર પડ્યા. હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં ધોતિયું બદલવાનું થયું. પરંતુ ત્રીજું રાખતા જ ન હતા. હું તરત જ ખાદીમંદિરમાં જઈને ધોતિયું ખરીદી લાવી. તે પહેરાવ્યું. ધોતિયું કોરું હતું. હાથનો સ્પર્શ થતાં સુશીલાને પૂછ્યું. ધોતિયું કોરું લાગે છે. “હા, જરૂર હોવાથી બહેન લાવ્યાં છે.” ભલે, રકમ ચૂકવી દેજો.” મારી આંખ અને મન ગગદ થઈ ગયાં. પણ તેમાંથી શીખવાનું ઘણું મળ્યું. લોભ ઉપર એક બૂચ જાણે માર્યો હોય તેવું લાગ્યું. જોકે આ જીવ કંઈ એવો બળવાન ન હતો એટલે આંશિક પાલન થઈ શક્યું. તેમના જેવી દઢતા ન આવી. આમ તેમની વાચા કરતાં પણ તેમની જીવનશૈલીમાંથી ત્યાગનું - અપરિગ્રહના સંસ્કારનું બળ મળ્યું હતું તે આજ સુધી જળવાઈ રહ્યું છે. સુશીલાનાં લગ્ન પછી તેમના ભત્રીજાએ તેમની બધી જ વ્યવસ્થા સંભાળી લીધી હતી. વય વધતી ગઈ. શરીર સ્વસ્થ હતું પણ નાની તકલીફો થતી ત્યારે ઔષધ લેવાનું ટાળતા. અને કહેતા : હવે શરીર પડે તો ભલે. પણ ઉપચાર તો કરવા પડતા. છેલ્લી માંદગીમાં પેશાબની તકલીફ થતી. ઔષધ લેવાનું ટાળતા ત્યારે મારા કહેવાથી નાના બાળકની જેમ માની જતા. એ મારે માટે સૌભાગ્ય હતું. છેલ્લે પેશાબ બંધ થઈ જવાથી વા.સા. હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. ત્યાં તેમનું અવસાન થયું. વાસ્તવમાં પંડિતજી એક મહાન વિભૂતિ હતા. પરંતુ તેમના જ વિચારોના પડઘા પડ્યા કે શું? હોસ્પિટલમાં અમે આઠ-દસ જણ હતા ત્યાંના સ્ટ્રેચરમાં તેમના પાર્થિવ દેહને ક્રીમેટોરિયમમાં લઈ ગયા અને અંત્યેષ્ટિક્રિયા ત્યાં કરી. ન કોઈ જાહેરાત, ન કોઈ ભીડ. જાણે એક પડદો ઊંચકાઈ ગયો. જો કે તેમનું સાહિત્ય તેમના જીવનનો મારી મંગલયાત્રા ૧૩૯ વિભાગ-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy