SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદય પ્રદીપ છત્રીસી સુવિચારની છાબને પ્રેમે વધાવીએ ગઈ | વિશ્વમાં આરોગ્યનો એક નિયમ પ્રવર્તે છે કે જયારે રોગચાળો ફેલાવા લાગે કે તુર્ત તેના પ્રતિકાર માટેના ઉપાયો ભરપૂર પ્રમાણમાં યોજવામાં આવે છે. જાહેર દૈનિકમાં પ્રજાજોગ સૂચનાઓ આપવામાં આવે છે. દવાનો પુષ્કળ પ્રમાણમાં છંટકાવ કરવામાં આવે છે. તે રોગની પ્રતિરોધક રસી મૂકવાનો પણ કાર્યક્રમ ઝુંબેશરૂપે ચલાવવામાં આવે છે. બસ આજે દુર્વિચાર અને દુર્ગાનનો રોગચાળો ફેલાયો છે ત્યારે તેના પ્રતિરોધ માટેના ભરચક ઉપાયો સજ્જનોએ યોજવા જ રહ્યા. સુવિચારોનો મારો ચલાવવામાં આવે, એટલે બધી રીતે એ દુર્વિચારોને ખાળવા માટે પ્રયત્નો કરવા જ રહ્યા. જેને જે સૂઝે તે રીતે એ ઉપાય યોજે અને દુર્વિચારના હુમલાને મંદ અને અંતે નાબૂદ બનાવે તે આજની તાતી જરૂરત છે. તે અભિયાનનાં ભાગરૂપે જ સુનંદાબહેન વોહરા એક શુભવિચારની છાબ લઈને આવ્યાં છે. આપણે સૌએ તેને સુસ્વાગતમ્ કહેવાનું છે, પ્રેમભર્યો સસ્મિત આવકાર પામવાનો છે. અહીં ૩૬ દીવડા એવા તેજવંત પેટાવવામાં આવ્યા છે, તેના તેજોવલયથી આપણી હૃદયગુહામાં યુગો જૂનાં અંધારાં ડેરાતંબૂ તાણીને પડયાં છે તેને ધ્રુજારી વછૂટે તેવો ઉજાસ આ દીવડામાં છે. મન ભરીને ફરીફરી એ દીવડાના અજવાળાને અપનાવીએ ચિત્તને તેના વડે માંજીએ એવી એ જ શુભેચ્છા - અમદાવાદ-૧૩. નારણપુરા, માગ-૧.૪ ૨૦૬૧ શ્રી નેમિ-અમૃત-દેવહેમચન્દ્રશિષ્ય પ્રદ્યુમ્નસૂરિ ૧ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy