SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૩િ૧૭] વ્યવહારનય અને નિશ્ચયનય અપેક્ષાએ પ્રતિપક્ષી હોવા છતાં બંનેની સહચારી સંધિ છે. તે સર્વજ્ઞ પરમાત્માની સ્યાદ્વાદશૈલીનું રહસ્ય છે. તેથી પ્રયોજનવશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે. કેવળ નિશ્ચયથી પરમાર્થ પ્રતિપાદન કરવો અશક્ય હોવાથી પરમાર્થને પ્રતિપાદક વ્યવહારનયને ગ્રહણ કરવો. અર્થાત્ એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દઢપણે સ્થાપિત કરે છે. અર્થાત્ વ્યવહારનયનો સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. જે શુદ્ધ નયને જાણી શ્રદ્ધાવાન થયા હોય, વળી નિશ્ચયથી ચારિત્ર્યવાન હોય તેમને શુદ્ધાત્માનો ઉપદેશ પ્રયોજનવાન છે. પરંતુ જે જીવો એવા અભેદને જાણતા નથી, શ્રદ્ધા ચારિત્રના પૂર્ણભાવને આદરી શક્યા નથી, હજી તેમની દશા અપૂર્ણ છે તેઓને વ્યવહારનય દ્વારા ઉપદેશ કરવો ઉચિત ૩િ૧૮] જ્ઞાનીજનો કહે છે કે જો તમે જિનવાણીને ચાહતા હોવ તેમાં શ્રદ્ધાવાન હોય તો વ્યવહાર અને નિશ્ચય બંને નયોને તે પોતપોતાના ક્ષેત્રે ભૂમિકાનુસાર કાર્યકારી છે તેમ માનો. ૩િ૧૯]. જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હોવ તો વ્યવહાર-નિશ્ચય એ બંને નયોને ન છોડશો. કારણ કે વ્યવહાર વિના તત્ત્વની વસ્તુનો, મૂળસ્વરૂપનો નાશ થઈ જશે.” (શ્રી સમ્યકત્વસુધા) [૩૨] જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું, તથા જિનવચનોના કહેનારા શ્રી જિન-ગુરુની ભક્તિ, દેવદર્શન ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. જેમને શ્રદ્ધા-જ્ઞાન થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનું અવલંબન છોડવારૂપ અણુવ્રત મહાવ્રત પંચ ૮૬ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy