SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પરમેષ્ઠિનું ધ્યાન, સમિતિ ગુપ્તિરૂપ્રવર્તન, તેમાં પ્રર્વતન કરનારની સંગતિ ક૨વી. શાસ્ત્રોનો અભ્યાસ કરવો. આ પ્રમાણે વ્યવહારમાર્ગમાં વ્યવહા૨ જાણવો પ્રયોજનવાન છે, તે આદરેલો પ્રયોજનવાન છે એમ નથી આદરેલો પ્રયોજનવાન તો એકમાત્ર ત્રિકાળી શુદ્ધ નિશ્ચય જ છે. (સમયસાર દર્શનમાંથી) [૩૨૨] “વ્યવહારનય જો કોઈ સર્વથા અસત્યાર્થ માની છોડી દે તો શુભ ઉપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધ ઉપયોગની સાક્ષાત પ્રાપ્તિ થઈ ન હોય તેથી ઊલટો અશુભોપયોગમાં આવી ભ્રષ્ટ થઈ ગમે તે સ્વેચ્છારૂપે પ્રવર્તે તો નકાદિ ગતિ પામી સંસારમાં ભ્રમણ કરે છે. માટે શુદ્ધ નયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધાત્મા છે, તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય થાયં સુધી વ્યવહાર જાણવો, પણ પ્રયોજનવાન છે એવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે.” [૩૨૩] ઉપદેશની પ્રક્રિયામાં વ્યવહારનય પ્રધાન છે અને અનુભવની પ્રક્રિયામાં નિશ્ચયનય પ્રધાન છે. યદ્યપિ આત્માના અનુભવમાં વ્યવહારનય પોતે જ ગૌણ થઈ ગયો છે. જ્ઞાનીજન જ્યારે વ્યવહારનયને હેય અથવા અસત્યાર્થ કહે છે ત્યારે તેને ગૌણ કરીને અસત્યાર્થ કહે છે. અભાવ કરીને નહિ. અન્ય સર્વથા એકાંતી સાંખ્યાદિક એ આત્માને પામતા નથી. કા૨ણે કે વસ્તુ સર્વથા એકાંતનો વિષય નથી. [૩૨૪] મોક્ષમાર્ગની પર્યાયને તીર્થ કહે છે અને ત્રિકાળી ધ્રુવ નિજ શુદ્ધાત્માવસ્તુના આશ્રયથી મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ થાય છે. તેને તત્ત્વ કહે છે. એટલે વ્યવહારને નહિ માનવાથી મોક્ષમાર્ગરૂપ તીર્થ અને નિશ્ચયને નહિ માનવાથી નિજ શુદ્ધાત્માતત્ત્વનો લોપ થવાનો પ્રસંગ ઊભો થશે. [૩૨૫] નિશ્ચય અને વ્યવહાર એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે, એ વિરોધને નાશ કરનારું ‘સ્યાત્’ પદથી ચિહ્નિત જે જિનભગવાનનું વચન તેમાં જે પુરુષો ૨મે છે. તે પુરુષો સ્વયં મિથ્યાત્વકર્મના ઉદયનું વમન અમૃતધાર * ૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy