SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા કર્મના સંયોગથી સર્વથા મુક્ત થઈ શકે છે. [૩૧૨] ૫૨૫દાર્થો અને પરભાવોથી આત્મસ્વરૂપ ભિન્ન જ છે. પરંતુ સ્વયં આત્માનુભૂતિરહિત કોઈ બોલ્યા કરે કે આત્મા શુદ્ધ છે તો તે કેવળ શાબ્દિકતા છે. કારણ કે આત્મા જ્ઞાતાપણે શુદ્ધ છે જ પરંતુ પોતે વર્તમાન અવસ્થામાં શુદ્ધતાનો અનુભવ કરે તેને માટે આત્મા શુદ્ધ છે. અગર તો મોહાદિ અવસ્થામાં પર્યાયપણે આત્મા અશુદ્ધ છે. [૩૧૩] આત્મા શુદ્ધ જ્ઞાયકપણે ક્યારે અનુભવમાં આવે ? પદ્રવ્ય અને પરભાવમાં જે કર્તાપણાનું ભાન છે, તે છોડો તો પરદ્રવ્યથી લક્ષ છૂટે, ત્યારે પર્યાય અંતર પ્રત્યે વળે અને શુદ્ધતાનું સેવન કરે ત્યારે આત્મા જ્ઞાયકપણે અનુભવમાં આવે. અર્થાત્ દ્રવ્ય તો શુદ્ધ છે પર્યાયમાં તેનું સેવન થવું જોઈએ ત્યારે શુદ્ધતાની પ્રીતિ થઈ કહેવાય. [૩૧૪] પર્યાયમાં વર્તમાન અવસ્થામાં જેને રાગાદિનો ૫દ્રવ્યનો અનુભવ છે તે પર્યાય પ્રત્યે જેની દૃષ્ટિ છે તો તે અશુદ્ધ છે. તત્ત્વ ભલે શુદ્ધ હો, ભલે જીવ કહે કે હું શુદ્ધ છું પણ તેને એ શુદ્ધની પ્રતીતિ નથી. જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાયક છે. શેય પદાર્થોના નિમિત્તે શેયાકારે પરિણમતો નથી ત્યારે પણ જ્ઞાયક જ્ઞાનપણે પરિણમે છે. જાણવાયોગ્ય પદાર્થોનું જ્ઞાન થવું તે જ્ઞાનની અવસ્થા છે. [૩૧૫] જેમ દીપકનો પ્રકાશ થાય ત્યારે તે ઘટપટાદિને જણાવે છે, પરંતુ પ્રકાશ સ્વયં ઘટપટાદરૂપે થતો નથી. અરે દીપકની જ્યોતિ પ્રગટે ત્યારે પણ દીપક દીપકરૂપે જ રહે છે તેમ આત્માનો જ્ઞાન ઉપયોગ ગમે તે પદાર્થોને જાણે ત્યારે તે પદાર્થમય થતો નથી જ્ઞાનમય જ રહે [૩૧૬] છે. અર્થાત્ આત્મામાં રાગાદિ મલિનતા અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગ નિમિત્તથી આવે છે. છતાં મૂળ સ્વરૂપ અન્યરૂપે પરિણમતું નથી. માત્ર ૫૨પદાર્થોના નિમિત્તથી અવસ્થા મલિન થાય છે. આમ જીવ સ્વરૂપે શુદ્ધ છતાં અનાદિથી કર્મસંયોગે મલિનતાને કારણે પરિભ્રમણ પામે અમૃતધારા * ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy