SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયમાં આસક્ત છે, વર્તમાનમાં આરંભાદિ છે, પણ તે જાણે છે કે મારા પર હજી મોહનો પ્રભાવ છે પણ મારા સ્વભાવમાં નથી, તેથી તેની દૃષ્ટિ શુદ્ધતા પ્રત્યે છે. [૩૦૮] સ્વસમય : શુદ્ધ સચિદાનંદસ્વરૂપપૂર્ણાત્મા, અભેદ સ્વરૂપ સ્વાત્માની શ્રદ્ધા-રુચિ તે નિશ્ચયથી સમ્યગ્દર્શન છે. તેવા આત્માનું અનુભૂતિજ્ઞાન તે સમ્યજ્ઞાન છે. તે જ આત્મામાં મગ્નતા, તન્મયતા, સ્થિરતા તે સમ્યક્ ચારિત્ર છે. આવા સમ્યક્દર્શન-જ્ઞાન-ચરિત્રની એકતાથી સ્થિત સ્વાત્માને જાણતો તેમાં જ પરિણમતો તે સ્વ-સમય(આત્મા) છે. જેમાં આત્માનું અમરગાન ગુંજે છે. [30] પરસમય : આવો સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વભાવી આત્મા અનાદિથી ૫૨૫દાર્થના નિમિત્તથી રાગાદિમાં જ એકત્વ થઈ તે રૂપે પરિણમે છે, ત્યારે તે પુગલકર્મોમાં તન્મય થાય છે તે પર-સમય છે, અાત્મા છે. સ્વ-સમયના સ્વાધીન સુખને ત્યજીને જીવ પરસમયપણે મહાદુ:ખ પામે છે. શુભના યોગે પોતે ભલે પોતાને સુખી માને પણ તે અજ્ઞાનતા છે. [૩૧૦] પર્યાયદૃષ્ટિએ જોતાં જીવ શુભાશુભ ભાવરૂપ પોતાને માને છે. પણ શુભાશુભ ભાવ પુણ્ય-પાપની પ્રકૃતિ છે જે જડકર્મને આધારિત છે. જો જીવ શુભાશુભના સ્વભાવરૂપે પરિણમે તો તેને જડરૂપે પરિણમવું થાય. પણ જીવ તો ચૈતન્યસ્વરૂપ છે, દ્રવ્યદૃષ્ટિથી જોતાં જ્ઞાયકભાવ શુભાશુભ ભાવે પરિણમતો નથી. પણ જ્ઞાયક શુભાશુભ ભાવને જાણે છે. [૩૧૧] સંસારી અવસ્થામાં અનાદિથી અપેક્ષાએ જીવનો કર્મપુદ્ગલો સાથે ક્ષીર-નીરવત્ સંબંધ છે. છતાં ક્ષીર-દૂધ દૂધરૂપે અને પાણીપાણી રૂપે રહે છે, તેથી છૂટા પડી શકે છે. તેમ જ્ઞાયક આત્મા શાયકપણે અને કર્મપુદ્ગલો પુદ્દગલપણે છે. બંને સ્વતંત્રપણે પરિણમે છે પરંતુ વર્તમાનની અવસ્થામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તે કાયમી અવસ્થા નથી. તેથી ૮૪ * અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy