SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદજ્ઞાન તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે આત્મા અને પરપદાર્થોનાં લક્ષણોને ભિન્ન ભિન્ન જાણી સ્વમાં તે બંને પદાર્થોને ભિન્ન કરવાની શક્તિ પોતાના ઉપયોગમાં ઉત્પન કરવી. તે ભેદજ્ઞાન છે. તે ભેદજ્ઞાનના બળ વડે ઉપયોગને મોહાદિની પ્રપંચજાળથી ભિન્ન કરી શુદ્ધાત્મસ્વરૂપના ચિંતનમાં ઉપયોગને લગાડવો, પુનઃ પુનઃ તેવો અભ્યાસ કરવાથી દર્શનમોહ શિથિલ થશે ઉપશમ થશે અને ભવિતવ્યતાના યોગે બાધક તત્ત્વોનું શમન થઈ સમ્યકત્વ પ્રગટ થશે. ક્રમે ક્રમે આત્મા મુક્ત થશે. આત્માર્થીએ અન્યને પણ આવા આત્મસ્વરૂપની વાત કહેવી, આત્મસ્વરૂપ વિષે પૃચ્છા કરવી. તેની જ નિરંતર ઈચ્છા રાખવી. તેનું ચિંતન કરવા હરપળે આત્મસન્મુખ થવું. તો અજ્ઞાનમય અવસ્થા છૂટી જશે. અને જ્ઞાનમય આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે. [૨૯૧] જેમ પતિ વિયોગે ઝૂરતી પત્ની કે પુત્રવિયોગે ઝૂરતી માતા જે મળે તેને પોતાના પતિવિરહની કે પુત્રવિરહની વાત કરે છે. તેનું સ્મરણ ચૂકતી નથી. તેમ આત્માર્થીએ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે નિરંતર ચેઝ રિ૯૨). બાહ્ય ક્રિયાઓના ક્લેશ – આકુળતાથી મોક્ષપદ પ્રગટ થતું નથી. પરંતુ સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત થવાથી સર્વ ક્રિયાક્લેશ – આકુળતાઓ શમી જાય છે. અંતરંગમાં જે જ્ઞાન છે તે પ્રગટ થાય છે. જીવને જે વસ્તુની પ્રિયતા લાગે તે વસ્તુ મેળવવાની ઝંખના જાગે, તેનું મન પ્રતિસમય તેમાં જ આકર્ષણ પામે. તેમ જે ભવ્યાત્મને આત્માની પ્રિયતા થાય તેને મેળવવાની નિરંતર ઇચ્છા, તેવો પુરુષાર્થ થાય, તેનાથી વિરુદ્ધની વસ્તુને તે ગ્રહણ કરતો નથી. [૨૩] કરવી. અધ્યાત્મ : ઉપયોગનું આત્મસ્વરૂપમાં લીન થવું, વિકલ્પરહિત ચિત્તવૃત્તિને અમૃતધારા ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy