SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી. જે જીવ પરદ્રવ્યમાં રાગી છે તે જ જ્ઞાનાવરણાદિ કર્મોને બાંધે છે. જે રાગભાવે કરી રહિત છે, ને કર્મના દોષોથી મુક્ત છે. નિશ્ચયનયથી વિચારીએ તો સંસારી આત્માઓને રાગાદિ વિભાવરૂપ અશુદ્ધ ઉપયોગ ભાવબંધનું કારણ છે. સ્વભાવરૂપ શુદ્ધ ઉપયોગ મુક્તિનું કારણ છે. માટે ભવ્યાત્માઓએ રાગાદિ ભાવનો ઉપયોગથી – મૂળ સત્તામાંથી ક્ષય કરવા સતપુરુષાર્થ કરવો યોગ્ય છે. [૨૮૬] સમ્યગ્દષ્ટિને દર્શન મોહનો ક્ષય થયા પછી અલ્પપણે જે રાગદ્વેષ રહે છે તે અનંત સંસારનું કારણ નથી થતું. કારણકે જેમ વૃક્ષનું મૂળ છેદાઈ ગયા પછી વૃક્ષ લાંબો કાળ ટકતું નથી પણ શીઘ્રતાથી સુકાઈ જાય છે. તેમ રાગાદિનું મૂળ કારણ દર્શનમોહ છે તેના છેદાઈ જવાથી સંસારનું પરિભ્રમણ સુકાઈ જાય છે. તે દર્શન મોહનો છેદ સમ્યગૃજ્ઞાનથી થાય છે. માટે તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે આત્મશુદ્ધિ [૨૮] નિશ્ચયદષ્ટિથી આત્માની શુદ્ધિ આત્મજ્ઞાન વડે થાય છે. જો મનુષ્ય આત્મશુદ્ધિ અન્ય સાધનોથી માને તો તે મિથ્યાદૃષ્ટિ છે. માટે અન્ય પદાર્થો પ્રત્યે દૃષ્ટિ ન કરતાં જ્ઞાનાદિ ગુણોનું વારંવાર ચિંતન કરવું. આત્મસ્વરૂપને જાણી આત્મારાધન કરવું. અન્યથા મિથ્યાજ્ઞાન / અજ્ઞાનને દૂર કરવું ઘણું વિકટ છે. માત્ર આત્મજ્ઞાન વડે સ્વરૂપ પ્રાપ્તિ નિકટ છે. આત્માને જ્ઞાન વડે શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ થતાં હિંસાદિ પાપો પલાયન થઈ જાય છે. તે આત્મા એવાં પાપજનક પાપો કરવા પ્રેરાતો નથી. [૨૮૮] વળી જે જ્ઞાન-ઉપયોગ. કોઈ પદાર્થમાં નિરંતર પુનઃ પુનઃ સ્થિર થાય છે તે ધ્યાન છે. અર્થાત્ ધ્યાન જ્ઞાનની એક અવસ્થા છે. તેથી શુદ્ધાત્માના ધ્યાન વડે મોહાદિ કઠણ કર્મોનો નાશ થાય છે. માટે હે જીવ ! આત્મજ્ઞાનના અમૃત વડે અંતરંગનું સિંચન કર, તે માટે સતશાસ્ત્રો, તથા બોધ દ્વારા શુદ્ધાત્મત્વને ધારણ કર. [૨૮૯] ૭૮ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy