SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સુકૃત્યમાં શુભ ભાવથી પરિણમન કરે છે ત્યારે શુભ, જ્યારે હિંસાદિ કૃત્યોમાં અશુભ ભાવથી પરિણમન કરે છે ત્યારે અશુભ અને જ્યારે શુદ્ધ ભાવથી પરિણમન કરે છે ત્યારે શુદ્ધ ઉપયોગી થાય છે. અર્થાત્ શુભાશુભ ભાવ આત્માનો નિમિત્તનૈમિત્તિક સંયોગ છે. સ્વભાવે આત્મા શુદ્ધ છે પરંતુ વર્તમાન અવસ્થારૂપે પરિણમન કરે છે. તેથી ભેદ પડે . [૨૮૩] જેમ ખાણમાં રહેલા પથ્થરના રજકણો સુવર્ણરૂપ પરિણામમાં પોતાને યોગ્ય ઉપાદાન કારણના સંયોગથી સુવર્ણરૂપ બને છે ત્યારે તે પથ્થર સાથે પથ્થરનો વ્યવહાર ન થતા તેને સોનારૂપે માનવામાં આવે છે. તેમ અનાદિથી પરિભ્રમણ કરતા જીવને સુદ્રવ્ય, સુક્ષેત્ર સુકાલ ને સુભાવરૂપ સામગ્રીની પ્રાપ્તિ થતાં સ્વઉપાદનને યોગ્ય અશુદ્ધાત્મા પણ શુદ્ધાત્મા – પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે. બાહ્યનિમિત્તો સુદ્રવ્ય – વજ ઋષભનારામ સંઘયણ. સુક્ષેત્ર – કર્મભૂમિમાં આર્યક્ષેત્ર, સુકાળ = તિર્થંકરાદિની પ્રત્યક્ષતા. સુભાવ. તત્ત્વદષ્ટિ-સ્વરૂપલક્ષ્ય. [૨૮] તત્ત્વદષ્ટિના નિર્ણય માટે જીવને અંતરમાં વેદન થવું જોઈએ કે આ કર્મજન્ય શુભાશુભ વિકલ્પ છે તે પણ દુઃખ દાયક છે. એનાથી કેવી રીતે છૂટું ? કોઈવાર શરીર અને આત્મા જુદા છે એવા શુભ વિકલ્પો આવે છે પણ વળી રાગાદિ ભાવો પકડાઈ જાય છે. રાગાદિને છોડી આત્માને જાણવા પ્રયત્ન કરું છું ત્યારે જે કંઈ શુભ ભાવ ઊઠે છે તે પણ સારા લાગે છે ત્યાં પકડાઉં છું. આમ આત્મા ઉપયોગમાં અનુભવમાં આવતો નથી. તો હે પ્રભુ ! મારે હવે સ્વાશ્રયી કેવી રીતે થવું ? જ્ઞાતા દ્રષ્ટાભાવમાં કેવી રીતે ટકવું ? ઉદાસીન ભાવ કેવી રીતે કેળવવો ? તેનું મને સામર્થ્ય અંતરંગ બળ આપો. ઓહોહો આ વિરાધકભાવ, વિકલ્પદશા, વિભાવદશા, આમ અનેક શ્રૃંખલાથી મને ઉગારો. આત્મ સામર્થ્યનું બળ આપો. [૨૮૫] અમૃતધારા ૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy