SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુઓ કરતાં કિંમતી રહેવાની જ. એ કારણે ધર્મ નહિ આચરનારા પણ પોતાને અમે અધર્મી છીએ’ એમ કહેવડાવવા તૈયાર નથી. તેઓ ધર્મી હોવાનો દાવો કરે છે. આમ ધર્મનો આશ્રય સૌને પ્રિય છે. એથી એમ જણાય કે ધર્મ માનનાર કે નહિ માનનાર સહુ ધર્મની કિંમત અધિક આંકે છે. એટલે ધર્મને આશ્રયે રહેતા જીવો અન્ય કરતાં શ્રેષ્ઠ મનાય છે. [૨૭૧] પરિણામ સાચા સાધક-આત્માર્થીની અંતરંગ દશા અન્યને કળાતી નથી. છતાં તેની સમજપૂર્વકની બાહ્ય ક્રિયા અને સમતારૂપ પરિણમન જોતાં તેના પ્રત્યે આદર આવે છે, તેને ઉપદેશક સદ્ગુરુનો મહિમા આવે છે અને સંબંધીઓની સાંસારિક અપેક્ષાઓ છૂટી જાય છે. એથી સાધનામાર્ગમાં આત્માર્થી સરળતાથી આગળ વધે છે. સૃષ્ટિમાં વહેતો સત્નો પ્રવાહ પણ સૂક્ષ્મ રીતે સહાયક બને છે. [૨૭૨] અજ્ઞાની જીવને આત્મદૃષ્ટિયુક્ત વિવેક નથી હોતો. જ્ઞાનીને બાહ્યવ્યવહાર છતાં તે જાગૃત છે. વિધિ નિષેધની સમતુલા હોવાથી કંઈ કરવા ન કરવાના ક્રિયાત્મક વલણવિકલ્પો ગૌણ બને છે. એથી જ્ઞાની વિકલ્પથી મુક્ત હોય છે. જે કંઈ રાગાદિ આવે છે તેને ઉદયરૂપ જાણી સહજભાવે વર્તે છે. કથંચિત તેમની બાહ્ય ક્રિયાઓ લોકસંજ્ઞાએ જુદી દેખાય કારણ કે તેની દૃષ્ટિમાં સતત પ્રમાદાદિ દોષો પ્રત્યે જાગૃતિ હોવાથી ઉદાસીનપણે વર્તે છે. તે સંસારીને સમજાતી નથી. [૨૭૩] વસ્તુનો જે સ્વભાવ-નિજભાવ તે એનું પરિણામ છે. વસ્તુની વર્તમાન કાલવર્તી અવસ્થા તે પરિણામ છે. જે ભાવ દ્રવ્યના સ્વરૂપની પ્રાપ્તિમાં કંઈ બાહ્ય નિમિત્ત કારણ ન હોય તે પિરણામ છે. જેમ જીવનો પરિણામ ચેતના, જે અસાધારણ ગુણ છે તે કોઈ નિમિત્તથી પ્રગટ થતો નથી. વસ્તુના એ ભાવ તે તત્ત્વ કે પરિણામ છે. [૭૪] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગચારિત્રરૂપ આત્માના Jain Education International ૭૪ * અમૃતધારા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy