________________
શાસ્ત્રવાચનથી કરેલો નિર્ણય, કેવળ શાસ્ત્રશ્રવણથી કરેલો નિર્ણય મનાશ્રિત હોવાથી યથાર્થ નથી. જ્ઞાનીના બોધથી થયેલ નિર્ણયને આજ્ઞાયુક્ત પ્રયોગમાં લાવે તો યથાર્થ નિર્ણય સંભવિત છે. [૨૬]
સાધનાકાળમાં જીવને જ્યારે જાગૃતિ ન રહે, પ્રમાદ થાય ત્યારે અજંપો કે મૂંઝવણ થાય છે. સંસ્કારવશ ઊઠતા વિકારીભાવોથી આત્માની અંતરંગ મલિનતા જોવાથી, વળી મહદ્ અંશે આવતા નિરર્થક ભાવોથી સમય વ્યર્થ જાય છે તેવું લાગવાથી, સવિશેષ ન ઇચ્છેલા એવા શૂદ્ર વિકારી ભાવો પ્રયત્ન કરવા છતાં ટળતા નથી. પુનઃ પુનઃ વિકારી અવસ્થામાં ઉપયોગ કુંઠિત બને છે. આવી દશામાં જીવને દુઃખ લાગશે તો મોહ ઘટશે. ચિત્તશુદ્ધિ થશે. તે માટે જાગૃતિપૂર્વક અંતરનિરીક્ષણ કરતા રહેવું.
[૬૮] સાંસારિક પ્રસંગોમાં રહેલા જીવે કાયર થઈ ભાગવાનું નથી પણ તે પ્રસંગોમાંથી રુચિ દૂર કરી સત્સંગની કે જ્ઞાનીની આરાધનાની તીવ્ર જિજ્ઞાસા કરવાની છે. અર્થાત્ સંસારના પ્રસંગોમાં ઉદાસીનતા રાખવાની છે. વીતરાગમાર્ગે અત્યંત સમતુલા જરૂરી છે. અંતરશુદ્ધિ કે અંતર જાગૃતિ વિના ઉદાસીનતા કે વૈરાગ્ય ટકે નહિ. તેથી વિપરીત જીવ બાહ્ય અવલંબનોમાં જ અટકી જાય.
[૨૬૯] ધર્મમાર્ગમાં – અધ્યાત્મમાર્ગમાં આવેલા આત્માને સંસારી જીવનમાં જે દોષ દેખાતા ન હતા, તે દોષ હવે જણાય છે, ત્યારે પ્રારંભમાં જીવ મૂંઝાય છે કે હું તો પામર છું. મારામાં ઘણા દોષ છે. વાસ્તવમાં પહેલાં દોષ તો હતા પણ બાહ્ય જીવનમાં વ્યસ્ત જીવને તે દેખાતા ન હતા હવે જાગૃત થતાં, વળી સગુરુના બોધે વિચારમાં સૂક્ષ્મતા આવતાં દોષો પકડાવા લાગ્યા, રાગાદિ ભાવની, મોહનીય કર્મની મંદતા થવાથી જ્ઞાનની નિર્મળતા થતાં દોષોની સ્પષ્ટતા થઈ તેથી દોષો દૂર થવાની ઘણી શક્યતા અને સરળતા થાય છે.
[૨૭]. ધર્મ એવી ચીજ છે કે તે સર્વ ક્ષેત્રે સર્વકાળમાં બીજી બધી
અમૃતધારા ૭૩
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org