SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્તો જોઈએ. સ્વભાવમાં રહેવા કેવળ સન્મુખ દૃષ્ટિ જોઈએ. ઘરમાં રહેતો માણસ કામ હોય ત્યારે જ બહાર જાય તો પછી સમ્યગ્દષ્ટિ સ્વભાવનું ઘર છોડીને બહાર કેમ જાય ! [૨૬૩] જેમ જેમ જીવની જાગૃતિ વધતી જાય તેમ તેમ અપૂર્ણતાથી અશુદ્ધતાથી, સાધનામાર્ગમાં અટકી જવા જેવી વેદના થશે, પરંતુ તેમાં અશુભ સંયોગો કે અશાતાના ઉદયથી દુઃખજાનત વેદના નહિ હોય. એ નબળી અવસ્થામાં જાગૃતિમાં અંતરંગ સ્થિરતામાં ખંડ પડવાથી કોઈ સંસ્કારના ઉદ્ભવથી વેદના થાય છે. આવી દશા જ્ઞાનને નિર્મળ કરે છે, ચારિત્રને દઢ કરે છે. કારણ કે તેમાં પ્રમાદ નથી પરંતુ સ્વદોષદર્શનથી થયેલી સાચી સમજ છે. વળી જ્યારે સ્વાશ્રયમાં ટકાય નહિ ત્યારે સતપુરુષોના બોધનું તેમના જીવનચરિત્રોનું સ્મરણ કરવું જેથી વળી ઉપયોગમાં શુદ્ધિ આવે. જ્ઞાનીજનોની ભક્તિ બળપ્રેરક છે. આત્માર્થીને ગુણ ચિંતવનરૂપ ભક્તિ અવશ્ય હોય છે. પરમાત્માના ઉપદેશેલા માર્ગે ચાલે તો ભક્તિ આત્મશાંતિનું કારણ છે. સદ્દગુરુ માર્ગ બતાવે પણ માર્ગે ચાલવાનો પુરુષાર્થ સ્વાત્માને કરવાનો છે. [૬૫] આત્માર્થી જાગૃત હોવાથી તે જાણે છે કે મારે સંસારના પ્રપંચમાં પડવું નથી તો પણ ફસાઈ જવાય છે. સ્વરૂપપ્રાપ્તિમાં આગળ વધવું છે છતાં વધાતું નથી. આનું દુઃખ અકથ્ય છે. જે સંસારી જીવો કળી શકતા નથી. ત્યારે તેનો આત્મા અંતરથી સદ્ગુરુના શરણનો, પરમાત્માની ભક્તિને પોકારે છે. દુઃખદ એવા આ સંસારથી કોણ મને તારશે? સંસાર રુચતો નથી અને આત્મદર્શન થતું નથી. આવી વેદના અસહ્ય હોય છે ત્યારે તેને મહતુ પુણ્યયોગે સદ્ગુરુનો પ્રત્યક્ષ યોગ થાય છે. જે તેને સમાર્ગે ચઢાવે છે. ૨૬૬] જીવે પૂર્વે સતુમાર્ગ આરાધ્યો નથી તે અજાણ્યો છે. તેમાં કેવળ સ્વબુદ્ધિના નિર્ણયથી છેતરાઈ જવાય. માટે બુદ્ધિથી કરેલો નિર્ણય, ૭૨ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy