SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્રવ્યોથી ભિન્ન અનુભવ કરે છે. તોપણ બહિરાભાવસ્થાના અનાદિ કાળના સંસ્કારો વિશ્વમ) જાગૃત થવાથી તેમને બાહ્ય પદાર્થોમાં એકત્વનો ભ્રમ થઈ જાય છે. તેથી અંતરાત્મા સમ્યગ્દષ્ટિને ક્ષયોપશમ લબ્ધિરૂપ જ્ઞાનચેતનાની સાથે કદાચિત કર્મચેતના (કર્મઉદય) અને કર્મફળ ચેતનાનો (કર્મફળનો અનુભવ) પણ સદ્દભાવ માનવામાં આવ્યો [૨૬] સમ્યક્ત્વની ઉત્પત્તિમાં પ્રથમ વિશેષ પુણ્યનો ઉદય અવશ્ય જોઈએ. કેમકે ક્ષયોપશમાદિક જે સમ્યક્ત્વ પ્રાપ્તિમાં પાંચ લબ્ધિઓ કારણ છે એનો અર્થ એ કે પાપકર્મોનો યથાયોગ્ય ક્ષયોપશમ હોય અને પુણ્યકર્મોનો ઉદય હોય એટલા જ માટે જે ભવ્ય આત્મસુખનો અભિલાષી છે તે પાપકર્મોને ઇચ્છતો નથી. અપેક્ષાએ સાતિશય પુણ્યકર્મને ઈચ્છે છે. જે માર્ગને પ્રયોજનભૂત હોય છે. [૨૬૧] જે જીવના સંસારપરિભ્રમણનો કાળ અર્ધપુદ્ગલપરાવર્તન જેવો બાકી રહે છે ત્યારે તેને પ્રથમ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તેમાં મિથ્યાત્વનું અંત:કરણ થવાથી (આંતરું પડે) ઉપશમ થાય છે. અને અનંતાનુબંધી ચતુષ્ઠનો અનુદયરૂપ ઉપશમ થાય છે. તે સમય તે જીવની અંતરદશા એવી હોય કે તેનું ચિત્ત સંસાર અને સંસારનાં કારણોથી સ્વાભાવિક ઉદાસીન થઈ જાય છે. સમ્યકત્વ થતાં જ જીવ પરથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, અને બહારના નૈમિત્તિક ભાવોને હેય માને છે. [૨૬ ૨) યદ્યપિ જિનપ્રતિમાના દર્શન વિગેરે સમ્યકત્વ પ્રાપ્તિનું કારણ છે. શાસ્ત્રનું શ્રવણ આદિ વારંવાર ભવ્ય જીવને કરવા યોગ્ય છે. તે શુભ ભાવાદિરૂપ પુણ્ય સાતિશય એટલે પુણ્યાનુબંધી પુણ્ય છે. પ્રાય સમ્યગ્દષ્ટિને પુણ્યબંધ થવાવાળા પુણ્યકર્મનો ઉદય થાય છે. જેથી મોક્ષમાર્ગને યોગ્ય સુયોગ પ્રાપ્ત થાય છે તે સાધક પુણ્યમાં રોકાતો નથી. સ્વભાવ સન્મુખ તેની દૃષ્ટિ છે. વિભાવમાં જવા માટે બાહ્ય પૌદ્ગલિક અમૃતધાર ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy