SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ બીજ વાવ્યા વગર પણ ઊગે છે. રિપ૨] માર્ગાભિમુખ થવાની યુક્તિ વીતરાગ માર્ગની રુચિવાળા જીવને જિનવપ્રણીત તત્ત્વને / સત્યને ત્યજી અસત્યને ગ્રહણ કરવાના ભાવ ન થાય. તેવી તીક્ષ્ણ બુદ્ધિ થાય છે. તે જીવ વારંવાર તત્ત્વોનો વિચાર | ચિંતન કરે છે. સત્સંગી સાથે પ્રશ્નોત્તર કરે છે, ગુરુજનો પાસે બોધ ગ્રહણ કરે છે. આથી અંતરપ્રતીતિમાં પ્રીતિરૂપ કાર્ય થતાં નિર્દોષ આનંદ આવે છે. સત્યાસત્ય, હિતાહિત સમજાય છે. હેય ઉપાદેયનો વિવેક જામતો જાય છે. પુનઃ પુનઃ ગુણ સ્થાનકોનો, તત્ત્વાદિનો વ્રતાદિ, ક્રિયાઓનું ચિંતન મનન કરે તેમાં શંકા ઊપજે તો વિશેષ જ્ઞાનીને પૂછી પુનઃ અભ્યાસ કરે. [૨૫૩] એવા સાધકને એમ થાય કે અહો ! આ સર્વજ્ઞ દેવનો જ ધર્મઉપદેશ હિતકારી છે, ભવનો નાશ કરવાનો ઉપાય તેમાં છે. હાલ મને સર્વ પ્રકારના સંયોગો અનુકૂળ છે. હવે સંસારના ધનાદિના મોહમાં ફસાવું યોગ્ય નથી. સંભવ છે આયુષ્ય પૂરું થાય તે પહેલાં જ પ્રમાદ છોડી શક્તિ અનુસાર તત્ત્વશ્રદ્ધાન વડે વ્રતાદિ ધારણ કરે. જેટલા પ્રકારનો રાગ છૂટ્યો હશે તેટલો વ્રતાદિ પ્રતિજ્ઞાનો નિર્વાહ થઈ શકશે. આવો જીવ અલ્પ સમયમાં સમ્યકત્વને પ્રાપ્ત કરી શકે છે. [૫૪] કદાચ આ ભવમાં ભવિતવ્યતાને યોગે સમ્યકત્વ પ્રાપ્ત ન કરી શકે તો નજીકના ભવમાં પ્રાપ્ત કરે. કદાચ અશુભ યોગે તિર્યંચાદિ ગતિમાં જાય તો પણ આ ભવની આવી શ્રદ્ધાન અને અભ્યાસ વડે સંસ્કારબળથી સમ્યકત્વને પ્રાપ્ત કરી શકશે. પૂર્વના અભ્યાસ વડે મિથ્યાત્વનો રસ ઘટી જાય છે. એમ કરતાં મિથ્યાત્વનો ઉદય ન થતાં ત્યાં જ સમ્યકત્વ પ્રગટ થાય છે. [૨૫૫] તત્ત્વવિચારમાં વધારે ઠરી ન શકાય ત્યારે શું કરવું? સાધનામાર્ગમાં પ્રારંભમાં આંતરિક સંસ્કારોનું બળ વધુ હોવાથી તત્ત્વાદિ ચિંતનમાં વધુ ટકી ન શકાય ત્યારે દર્શન, પૂજનાદિ, અમૃતધારા ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy