SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કે તેમાં દ્રવ્ય પ્રત્યેની દૃષ્ટિ હટીને ક્ષણિક પર્યાય પ્રત્યે જોડાય છે તે મિથ્યાદૃષ્ટિ છે. દોષ પ્રત્યેથી દૃષ્ટિ હટાવી દ્રવ્યની શુદ્ધતા પ્રત્યે વાળવી તે સમ્યગ્દષ્ટિ છે. રિ૪૬] વર્તમાન અવસ્થામાં રાગાદિ પરિણમન હોવા છતાં તેને ગૌણ કરવા અને જ્ઞાનસ્વરૂપ ત્રિકાલી શુદ્ધાત્માનું અવલંબન લેવું. જ્યાંથી એ જ્ઞાનપ્રવાહ વહી રહ્યો છે તે અવલંબનમાં એકત્વપણું આવે દેહાદિથી ભિનપણાનું વિવેકજ્ઞાન-ભેદજ્ઞાન પ્રગટ થાય છે. સૌ મહામાનવો એ ભેદજ્ઞાન વડે ભવમુક્તિ પામ્યા છે. અંતરમુખ જાગૃતિ રહિત પાત્રતા ન હોય તો જીવને ભેદજ્ઞાન શાબ્દિક કે બુદ્ધિ પ્રધાનતાથી સમજાય પરંતુ અનુભવમાં ન આવે. " [૨૪] સંસાર પ્રત્યેથી રુચિ આળસે નહિ, સંસારના હેતુઓ હજી મીઠાવહાલા લાગે ત્યાં સુધી ભેદજ્ઞાનની પાત્રતા આવતી નથી. સદ્દગુરુમાં સમર્પણભાવ, પરાભક્તિ સત્ની જિજ્ઞાસા, વૈરાગ્ય, જડ પદાર્થો પ્રત્યે ઉદાસીનતા, શુદ્ધાત્મા પ્રત્યે પ્રીતિ, જેવા સદ્દભાવ પ્રગટ થવા દુર્લભ છે અને તેથી ભેદજ્ઞાન – સમ્યગજ્ઞાન પણ દુર્લભ છે. રિ૪૮] દ્વેષનું દુઃખ તો હજી ક્યારેક લાગે છે પણ રાગ દુઃખરૂપ કેમ લાગતું નથી ? જીવ રાગથી છૂટો પડતો નથી જો જીવ ઉપયોગને રાગ ઉપર લઈ જઈ વિચારે કે રાગ તો મારી વૈભાવિક ક્ષણિક અવસ્થા છે તો રાગને જાણે પણ એકત્વબુદ્ધિ ન કરે. પરંતુ જીવ અજ્ઞાનને કારણે પ્રમાદી હોવાથી રાગ સાથે ભળી જાય છે તેથી રાગનું દુઃખ વેદાતું નથી તેમાં મીઠાશ લાગે છે વળી દ્વેષમાં રાગ જેવી મીઠાશ નથી. મૂઢ મનુષ્યો દ્વેષ કરીને કોઈ વાર કાલ્પનિક હર્ષ માને છે. પ્રાયે દ્વેષ દુઃખ-સંતાપ પેદા કરે છે. એટલે દ્વેષ છોડવાનો ભાવ થાય છે, પરંતુ વાસ્તવમાં રાગ છે ત્યાં વૈષ તેની છાયારૂપે હોય છે. [૪૯] આત્માનો સ્વભાવ-ધર્મ વિતરાગતા છે, શુદ્ધ ઉપયોગ છે, તે અમૃતધારા ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy