SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ છે. તે પણ સત્તા અપેક્ષાએ છે. સંસારીને સિદ્ધરૂપ માનવો તે મિથ્યાભાવ થશે. [૨૩૭]. આત્માના ચૈતન્ય અનુસાર થતાં પરિણામને ઉપયોગ કહે છે. એમ બોધ થવાથી રાગાદિ રાગમાં છે, ઉપયોગ ઉપયોગમાં છે, એવું જ્ઞાનનું પરિણમન ભેદજ્ઞાન છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા જ ગ્રાહ્ય છે, શરીરાદિ અન્ય પદાર્થો અગ્રાહ્ય છે આવો વિચાર તે વિવેક છે, ભેદજ્ઞાનનું લક્ષણ છે. ભેદજ્ઞાન રહિત વિવેકવિન મનુષ્યપણે નિષ્ફળ છે. [૨૩૮] દેહ એ જ આત્મા એવી દેહાત્મબુદ્ધિ તો સદાકાળ માટે સુલભ હતી – છે. પરંતુ કરોડો જન્મ આત્માની મુખ્યતા અથવા આત્મા અને દેહ નિતાંત ભિન્ન છે એવો વિવેક પ્રાપ્ત થવો તે અત્યંત દુર્લભ છે. એવા વિવેક પ્રાપ્તિની સ્તુતિ તે પરમાત્માની સાચી ભક્તિ છે. [૩૯] સદ્ગુરુબોધ સત્સંગ-ભક્તિ સહજપણે પ્રગટે છે ત્યારે દર્શનમોહ ઘટે છે. જેથી જ્ઞાનશક્તિ વધુ ગ્રાહ્ય બની અંતર્મુખતા સધાય છે, જે ભેદજ્ઞાનપૂર્વક સ્વરૂપનિશ્ચય (ભાવભાસન) સુધી સહજપણે આત્માને પ્રગટ કરે છે ત્યાર પછી વાસ્તવિક સ્વસંવેદનયુક્ત સ્વાનુભૂતિ થાય છે. બાહ્ય ભક્તિ આદિ અંતરથી આવે છે. છતાં આત્મા જાણે છે કાર્ય પરિણમન તો મારે કરવાનું છે. તેથી તે જેમ અશુભમાં અટક્યો નહિ તેમ શુભ ભાવમાં પણ અટકતો નથી. [૨૪] આહારના પદાર્થમાં જે કડવું-મીઠું વિગેરે શક્તિ છે તે પુદ્ગલસંબંધી છે, તે પુગલનું ભાવકર્મ છે. પરિણમન) મિથ્યાત્વ, કષાયાદિ કર્મોના ઉદયને જેમ ફળ આપવાની શક્તિ છે, તેમ પુગલપિંડમાં જે ફળ આપવાની શક્તિ છે, તેનું ભાવકર્મ છે. જીવના એ ભાવકર્મના ઉદયથી જે ભાવ છે તે જીવના ભાવકર્મ છે તે વિભાવભાવ ચેતન છે. પુદ્ગલમય દ્રવ્યકર્મ સંબંધી પ્રકૃતિ તે અચેતન [૨૪૧] આત્મા નિર્વિકલ્પ સમાધિમાં લીન થાય છે ત્યારે કર્મ ઉદયમાં અમૃતધાર ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy