SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું જ ધ્યાન કરે છે. તે યોગી અલ્પકાળમાં પંચમગતિ પ્રાપ્ત કરે [૨૩૩] સંસારી જીવને પ્રલોભનીય પદાર્થોનું આકર્ષણ કે પ્રીતિ થાય છે પરંતુ જ્યારે તેને પરમપરિણામિક શુદ્ધાત્માનું અંશે પણ દર્શન થાય છે ત્યારે તે સર્વ ભ્રમણા દૂર થઈ જાય છે. અન્ય પદાર્થોની પ્રીતિ સમાપ્ત થાય છે. જીવ પોતાના શુદ્ધ સ્વરૂપનું દર્શન કરે છે પછી તેના ઉપયોગની સઘળી ચેષ્ટાઓ સ્વરૂપ પ્રત્યે થાય છે. [૨૩૪]. જ્યાં સુધી જીવ મન, વચન, કાયાના યોગને આત્મરૂપ માને છે ત્યાં સુધી આશ્રવ દ્વારા સંસાર ઉપાર્જન કરે છે. જ્યારે તે જીવ મન, વચન, કાયાને પરપદાર્થ જાણી આત્માને જુદો ગ્રહણ કરે છે ત્યારે તે સાચું દર્શન પામે છે. મન વડે હું સુખદુ:ખ ભોગવું છું. કાયા વડે પ્રવૃત્તિ કરું છું. વચન વડે સૌ સાથે વ્યવહાર કરું છું. જે આત્માને આટલો જ માને છે તે સંસારભાવ છે. જ્યારે તે એ સર્વ યોગના પ્રકારોથી સ્વને ભિન્ન જાણે છે ત્યારે મુક્તિની પાત્રતા આવે છે. જ્ઞાન ઉપયોગનું જ્ઞાનમાં ફરવું અર્થાત્ મિથ્યાભાવનો અભાવ થઈ સમ્યગૂજ્ઞાન થાય, પુનઃ મિથ્યાત્વમાં ન જાય અથવા જ્ઞાન શુદ્ધ ઉપયોગરૂપે સ્થિર રહે, તેમાં પુનઃ વિકાર પેદા ન થાય. આમ જ્ઞાન જ્ઞાનરૂપે ઠરે નહિ ત્યાં સુધી ભેદવિજ્ઞાનનો અભ્યાસ કર્યા જ કરવો. જેથી શુદ્ધાત્માની પ્રાપ્તિ પૂર્ણપણે થાય. શુદ્ધાત્માના અનુભવથી વીતરાગતા આવે ત્યારે કર્મોનો આશ્રવ મંદ થઈ ભાવસંવર થાય. ત્યાં સુધી નિરંતર હું સર્વથી ભિન્ન છું. રાગાદિ મારા નથી એવું ચિંતનનું આલંબન લેવું. ૨૩૬] આત્મામાં અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે ત્યારે મૂળદ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું નથી. પરંતુ પૌગલિક-પરદ્રવ્યોના નિમિત્તથી આત્માની વર્તમાન અવસ્થા મલિન થાય છે ત્યારે આત્મા રાગાદિવાળો મલિન જાય છે. ત્યારે પણ દ્રવ્યદૃષ્ટિથી આમાં તો ૬૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy