SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. માટે સાધકનું કર્તવ્ય છે કે સદ્દગુરુ કે શાસ્ત્રના બોધ દ્વારા . સ્વ-પરનો ભેદ જાણી લે અને પરભાવથી પોતાને ભિન્ન રાખે તે ભેદજ્ઞાન છે. [૨૨૯]. સદ્ગરના બોધથી જેને આત્મભાવ ઉત્પન્ન થયો છે તે સાધક અન્યને પણ આત્મસ્વરૂપની વાત કહે છે. અન્યની પૃચ્છા પણ આત્મસ્વરૂપ માટે કરે છે અને નિરંતર ભાવના-ઇચ્છા પણ આત્મસ્વરૂપની રાખે છે. આથી જે સાધક આત્મસ્વરૂપના ચિંતનની એક ક્ષણ કે પ્રસંગ જતો કરતો નથી તેનો અજ્ઞાનરૂપ અંધકાર દૂર થઈ જ્ઞાનમય આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. [૨૩] સદ્દગુરુનો યોગ થયો હોય, સત્સંગ પણ થતો હોય, ભક્તિ થતી હોય છતાં જીવ શંકિત હોય, ભવભ્રમણનો ડર ન હોય, આકુળતા થતી હોય તો જીવે અંતર પરિણામનું નિરીક્ષણ કરવું કે મારી ક્ષતિ ક્યાં છે? અંતરંગ શુદ્ધિ કે જાગૃતિ ન હોવાથી ઉપયોગ નિમિત્તાધીન થાય છે અને ઉપાદાનને ગૌણ કરે છે ત્યારે સગરના બોધનું તાત્પર્ય વિશેષપણે વિચારીને જ્ઞાનશક્તિને જાગૃત કરવી. (૨૩૧] જળબિંદુઓથી ભરેલો સમુદ્ર એક જ છે, પવનને નિમિત્તે તેમાં અનેક તરંગો ઉત્પન્ન થાય છે, તે સર્વે સમુદ્રરૂપ જ છે. તે પ્રમાણે આત્મામાં જ્ઞાનાદિ અનેક ગુણો છતાં આત્મા એક જ છે. કર્મના સંયોગે તે ગુણોની અનેક અવસ્થાઓ પર્યાયો) પ્રગટ થાય છે, તે સર્વે આત્મરૂપ જ છે. આત્માનો જ્ઞાનમાત્ર એક ભાવ તેમાંથી ઘણી શક્તિઓનો ઉદય થાય છે. માટે જ્ઞાન કરીને જ્ઞાનને પ્રકાશમાન કરવું. જે વડે સર્વે કર્મોનો નાશ થાય છે. [૨૩૨] અનેક વિકલ્પની જાળરૂપ ચાર ગતિયુક્ત સંસારનું કારણ જીવના શુભાશુભ ભાવને જ્ઞાની જાણે છે, એટલે જન્મ મરણરહિત મોક્ષસ્વરૂપને ઈચ્છે છે. વળી મોક્ષરૂપ શુદ્ધાત્મા જે શુદ્ધ પરમ પરિણામિક વીતરાગ આત્મિક ભાવ છે તેને અત્યંત ભક્તિભાવે નમે છે અને પ્રતિસમય અમૃતધારા ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy