SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ એવું સમ્યગદષ્ટિ જીવ માટે બનતું નથી, કેમકે મન વચન અને કાયા વડે થતી તેની પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ અરિહંત પરમાત્માની આજ્ઞાનું પ્રણિધાન છે. (પાલન) આજ્ઞાપૂર્વક પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ આજ્ઞાકારક અરિહંત પરમાત્માનું ધ્યાન હૃદયમાં વર્તતું હોય છે. એ ધ્યાન, ધ્યાતા, ધ્યેયની એકતારૂપ હોવાથી સમાપત્તિરૂપ બને છે, એ સકળ કલ્યાણનું કારણ છે. તેથી શાસ્ત્રોમાં આજ્ઞાપાલનના અધ્યવસાયને જ નિરાશંસ (અહિંસક) અને નિઃશલ્ય ધર્મપ્રવૃત્તિ તરીકે વખાણવામાં આવે છે. [૨૧૨] મનુષ્યપણું અને જિનધર્મ પમાય તેવા અનુકુલ અદ્દભુત કાર્યના ફળ તરીકે કોઈ રીતે મનુષ્યજન્માદિક શ્રેષ્ઠ સામગ્રી પામીને શિવસુખ સંપત્તિના હેતુરૂપ એવા જિનધર્મમાં સદા સાવધાનપણે વર્તવું. મોક્ષસુખદાયી વીતરાગપ્રણીત ધર્મ પામીને તેમાં ક્ષણ માત્ર પ્રમાદ ન કરવો મતલબ કે શ્રી વીતરાગપ્રણીત તત્ત્વનું રુચિપૂર્વક શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવા તત્પર રહેવું. પુષ્પમાલા પ્રકરણ) [૧૩] ભૌતિકપદાર્થોના સંયોગમાં, ઇન્દ્રિયના વિવિધ વિષયોનાં રસમાં જેને સુખબુદ્ધિ લાગે છે, પરપદાર્થોમાં ગમતું ન ગમતું લાગે છે તે વાસ્તવમાં દુઃખનું લક્ષણ છે. આત્મશાંતિ માટે પરનો આશ્રય લેવો પડે તે દુઃખ છે. તેમ સમજાય તે સ્વનો આશ્રય લે તે મુક્તિનો પંથ સ્વર્ગના સ્થાનમાં જવા યોગ્ય કે મનુષ્યપણું પામવા યોગ્ય પરિણામની જેની પાત્રતા નથી તે કેવળ શુદ્ધઆત્મધર્મ પામવાની વાતો કરે તે શુષ્કજ્ઞાન છે. આ મનુષ્યપણું કદાચ જીવને કાકતાલીય ન્યાયે મળ્યું હોય તો પણ શુદ્ધધર્મના પરિણામ થવા માટે જિનાજ્ઞાયુક્ત સઅનુષ્ઠાનો વડે પાત્રતા કરવી જોઈએ. [૨૧૫] પૂર્વકર્મફત પ્રકૃતિના ઉદયમાં ચગાદિ ઉત્પન્ન થવાના છે. પણ રાગની રુચિ ફેરવી નાંખવી તે તો વર્તમાનમાં પોતાની સ્વતંત્રતા છે. જ્ઞાની, અજ્ઞાની બંનેને રાગનો ઉદય આવવાનો છે. જ્ઞાની પુરુષાર્થ વડે અમૃતધારા ઝડપ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy