SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ યદ્યપિ સ્વરૂપ પ્રાપ્તિના – શુદ્ધાત્મપ્રાપ્તિના ઘણા ઉપાયો છે. તેમાં મુખ્ય પ્રકાર શુભધ્યાન – શુદ્ધ ધ્યાન છે. માટે આત્મસ્વરૂપના અભિલાષીએ સદાય શુદ્ધાત્માનું ધ્યાન અવશ્ય કરવું. તેની ભૂમિકા માટે અનુપ્રેક્ષા મૈત્રી આદિ ભાવનાથી પ્રારંભ કરવો. અનુપ્રેક્ષા એટલે અનિત્યાદિ ભાવના કે કોઈ શુદ્ધતત્ત્વનું નિરંતર ચિતન કરવું. જેથી વિષય-કષાયથી ચિત્ત પાછું વળે. ત્યાર પછી કોઈ શુદ્ધ વિષય પર ચિત્તનું સ્થિર થવું તે ધ્યાન છે. ચિત્ત-મન-ઉપયોગનું સ્થિર થવાથી તે આત્મસ્વરૂપમાં લીન થાય છે. [૨૦૮] જન્મ-મરણ, સંસાર, સંસારની ક્ષણિકતા – સુખ-દુઃખ વિગેરેનું વાસ્તવિક સ્વરૂપ વિચારતાં મને ત્યાંથી પાછું ફરે છે. અને ભવસ્વરૂપનું ચિંતન કરે છે. હું અનંતવાર માર્યો પણ મનના વિકારો મર્યો નહિ, તેથી અંત સમયે હું શુદ્ધાત્મા છું એનું સ્મરણ ન રહ્યું. આમ જન્મો નિરર્થક થયા. [૨૯] હું અનેક વાર મનુષ્યજન્મ પામ્યો; આર્યકુળ મને મળ્યા, વળી અનેક વાર સંયમાદિ ગ્રહણ કર્યા; પરીષહો સહન કર્યા, શાસ્ત્રાભ્યાસ કર્યા, યોગસાધનોનું સેવન કર્યું, સદ્ગુરુનો બોધ ગ્રહણ કર્યો, પણ તેનું પરિણમન ન થયું તેથી શુદ્ધાત્માની પ્રાપ્તિ ન થઈ. શુદ્ધાત્માની અભિલાષા યુક્ત ધ્યાન ન કર્યું, જે મનુષ્ય શુદ્ધાત્મામાં જ અનુરક્ત છે તે સંસારનો સર્વ પ્રકારે ત્યાગ કરી એકાંતમાં આત્મધ્યાનનો આ રીતે આશ્રય કરે છે. [૨૧] તીર્થકરોના ધ્યાનમાં ધ્યાતાની એકતા જે જે નિમિત્તો અને ઉપાદાન કારણોથી થતી હોય તે બધા નિમિત્તો અને ઉપાદાન કારણોને સમ્યગ્દષ્ટિ જીવ કારણપણે સહે છે. તેથી તેનું જ્ઞાન સમ્યગું બને છે. [૨૧૧] સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન ગુણ અને સમ્યગુ દૃષ્ટિની પ્રવૃત્તિ ત્રણેય અરિહંતાકાર ઉપયોગવાળા બનતાં હોવાથી સમાપત્તિ સ્વરૂપ છે. એ સમાપત્તિ અમુક કાળે જ પ્રાપ્ત થાય અને અમુક કાળે પ્રાપ્ત ન થાય ૫૮ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy