SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માના પ્રદેશમાં પરિભ્રમણ કરે છે, અન્યત્ર નહિ. જડપુદ્ગલો કે કર્મો સાથે તેનો સંબંધ વિચ્છિન્ન થઈ જવાથી સર્વ અવસ્થાઓ આત્મામય બને છે. ત્યારે કર્તુત્વ આત્મપરિણામનું છે, કાર્ય આત્મગુણોની નિષ્પત્તિનું છે, સહાયક પણ આત્મા જ છે. સંયોગ વિયોગમાં આત્માની અવસ્થાઓ અને આધાર પણ આત્મા જ જણાય છે. આ છે પરમાર્થમાર્ગનો વિવેક, આવા વિવેકરહિત જીવ સંસારમાં ભટકે છે. [૨૦] એ ભેદજ્ઞાન માત્ર વાણીનો વિષય નથી. ચિંતન દ્વારા તેને આત્મસાત કરી જીવનના પ્રસંગોમાં પ્રગટ કરવાનું છે. પછી શરીરની ચામડી ઊતરતી હોય માથે સગડી સળગતી હોય કે અનેક ત્રાસદાયક ઉપસર્ગો આવે એ ભેદજ્ઞાનધારી મહાત્મા તે પ્રસંગોને ભેદજ્ઞાન વડે મોક્ષસાધક કરે છે. રાગની એકતા બુદ્ધિ ને મિથ્યા અભેદ છે. રાગથી ભિન્ન થઈ જ્ઞાતા ભાવનો અભ્યાસ કરે ભેદજ્ઞાન થાય તે ધર્મ છે. શુભાશુભ પરિણામ યોગ્યતા પ્રમાણે તેના સ્વકાળે આવે તેમાં ઇષ્ટાનિઝ બુદ્ધિ કરવી તે મિથ્યાદષ્ટિ છે. માટે ઉપયોગ આત્મભાવમાં જોડવો. (૨૦૫ હું શુદ્ધાત્મા છું એમ ચિંતવવું તે પણ શુભભાવનો વિકલ્પ છે. એકાએક વિકલ્પ છૂટતા નથી. પણ હું વિકલ્પ જેટલો નથી. તેનાથી ભિન્ન છું એમ શ્રદ્ધા કરી ઉપયોગમાં પુરુષાર્થ કરી સ્વરૂપ દૃષ્ટિ કરે તો ભેદજ્ઞાન થાય. વિકલ્પની દશામાં પણ જો નિર્ણય થતો નથી કે હું શુદ્ધાત્મા છું તો નિર્વિકલ્પ થવાની સંભાવના કેમ થશે? માટે નિર્ણય તો કર કે શુધ્ધાત્મા છું. [૨૬] એક ક્ષણના શુદ્ધ ઉપયોગના પુરુષાર્થને સ્વીકારતો નથી તે સત્તામાં રહેલા ત્રિકાળી શુદ્ધતાને કેવી રીતે સ્વીકારશે ? અશુદ્ધ ભાવ તે તે જ સમયનું અજ્ઞાન છે તે તેના કાળે આવે છે, ખસે છે, તેમાં રોકાઈ ન જતાં ઉપયોગને સ્વ પ્રત્યે વાળવો. સ્વરૂપ પ્રાપ્તિનો આ ઉપાય છે. [૨૦૭] અમૃતધારા કપ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy