________________
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું.
[૧૯૯] સંસારમાં રહેલા જીવો શરીર અને આત્માના અભેદની વાસનાથી વાસિત છે, તે સંસ્કાર તો કંઈ દુર્લભ નથી; દુર્લભ છે ભેદજ્ઞાન જે જીવને અનાદિકાલીન પ્રાપ્ત થયું નથી. મન, વચન, કાયાથી, અન્ય દ્રવ્યાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મા છે. આ રીતે આત્માના સ્વતંત્ર અસ્તિત્વનું જ્ઞાન-શ્રદ્ધા સર્વ માટે સુલભ નથી. કોઈ વિરલા મહાત્મા જ આવા ભેદજ્ઞાનને પ્રગટ કરે છે.
[20] આ ભેદજ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય?
સૌ પ્રથમ તો શુદ્ધાત્માનું લક્ષ્ય કરવું જોઈએ. અને તે ભાવનાથી ભાવિત થઈ ઇન્દ્રિય વિષયથી વિરક્ત થવું જોઈએ વિષયોની લાલસા જીવમાં કષાય પેદા કરે છે. વિષયોનો ત્યાગ અને કષાયોનો ઉપશમ કરવાથી તત્ત્વ દૃષ્ટિનો વિકાસ થાય છે. ગુણો પ્રગટ થાય છે. વ્રત તપ વાસ્તવિકપણે ગ્રહણ થાય છે તેથી મોહજન્ય વૃત્તિ-પ્રવૃત્તિ બંધ થવાથી ભેદજ્ઞાનની યોગ્યતા પ્રગટે છે.
રિ૦૧] નિશ્ચયનયથી આત્મામાં વિષય વિકાર નથી. આત્મા નિર્વિકાર વીતરાગ ચૈતન્યસ્વરૂપ છે. પરંતુ શુદ્ધાત્માને નહિ જાણતો હોવાથી તેની દૃષ્ટિમાં અજ્ઞાનવશ વિષય કષાયના વિકારોનો રોગ છે. તેથી આત્માને ક્રોધી, માની કે વિષયી માને છે. અજ્ઞાનનું પડળ ખસી જતાં જીવ જ પોકારે છે કે અહો ! હું તો સર્વથી અત્યંત ન્યારો સ્વભાવથી જ શુદ્ધ છું.
[૨૦૨] જન્મ જરા મૃત્યુ કર્મકૃત વિકારી ભાવો છે તે અવિકારી આત્મા નથી પરંતુ જેમ સેનાના જય પરાજયનો આરોપ રાજા પર કરવામાં આવે છે કે રાજા જય કે પરાજય પામ્યો. તેમ અવિકારી આત્મા પર કર્મનો આરોપ કરી જીવો ઠગાય છે. અને ભયંકર સંસારમાં ભટકે
[૨૦૩] ભેદજ્ઞાન દ્વારા આત્મદષ્ટિ નિર્મળ બને છે. કે જેમાં આત્મા
પ૬ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org