SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. [૧૮૩] દરેક પદાર્થમાં અંતરંગ ઉપાદાન શક્તિ છે, તેનાથી સ્વકાર્ય થાય છે, ત્યારે અન્ય પદાર્થો તેમાં નિમિત્તમાત્ર છે. કાર્યરૂપ પરિણમન સ્વયં થાય છે. જેમ જીવ અને પુદ્ગલમાં ગતિ કે સ્થિતિ કરવાની નિજશક્તિ છે. પરંતુ તે ગતિ કે સ્થિતિ થવામાં ધર્માસ્તિકાય તથા અધર્માતિસ્કાય અવશ્ય સહકારી કારણ છે. પરંતુ જો તે પદાર્થોમાં ગતિ કરવાની શક્તિ ન હોય તો અન્ય બીજા કારણો મળે તો પણ લાખ પ્રયત્ને જીવ કે પુદ્ગલ ગતિમાં કે સ્થિતિ કરી શકે નહિ. [૧૮૪] આ પ્રમાણે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે બાહ્ય સદ્ગુરુ આદિ નિમિત્ત મળે પણ જીવ જો પોતે બોધરૂપ પરિણમન ન કરે તો હજારો સદ્ગુરુ મળવા છતાં જીવ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી તેમ અભવ્યને તો ક્યારે પણ ઉપદેશ પરિણમતો નથી કારણકે તેની અભવ્યતાને ક્યારે પણ ત્યાગી શકતો નથી. જેમ સર્પ ગમે તેટલું સાકરયુક્ત દૂધ આપવા છતાં તે વિષરૂપ પરિણમન ત્યજી શકતો નથી. એ તેનો સ્વભાવપ્રકૃતિ છે. [૧૮૫] જગતનું સ્વરૂપ જે કેવળજ્ઞાની પરમાત્માએ સંપૂર્ણપણે જાણ્યું, જણાવ્યું, તેને કોઈ અલ્પમતિ કે જેની પાસે માત્ર મતિ-શ્રુતજ્ઞાનનો સામાન્ય ક્ષયોપશમ-(શક્તિ) છે તે તથા વૈજ્ઞાનિક – બુદ્ધિમાનની દૃષ્ટિએ જેના માત્ર મગજના બે ચાર સેલ ખૂલ્યા છે તે કેવી રીતે જાણી શકે ? ભૌતિક વિજ્ઞાન માત્ર પરોક્ષ પ્રયોગ સુધી જ પહોંચી શકે. ધર્મવિજ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા વસ્તુના સ્વરૂપને પ્રકાશિત કરે છે. ત્યાં પ્રયોગનું પ્રયોજન નથી માટે નિરર્થક વિવાદ ત્યજીને સ્વરૂપપ્રાપ્તિનું સાર્થક કર્તવ્ય કરી લેવું. [૧૮] - કોઈ તીક્ષ્ણ – બુદ્ધિમાન મનુષ્ય વૃક્ષ પર ઉગેલાં ફળોની ગણત્રી કરે ત્યારે કોઈ અંધ તેની ગણત્રીમાં શંકા કરી વિવાદ કરે તો તે વ્યર્થ છે, તેમ જ્ઞાનીના જ્ઞાનથી પ્રગટ થયેલા જગતના યથાર્થ સ્વરૂપમાં Jain Education International ૫૨ * અમૃતધારા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy