SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કે દુઃખ પણ આત્માથી ભિન્ન છે. તેમાં જ્ઞાનીને હર્ષવિષાદ નથી. જ્ઞાની જ્ઞાન દ્વારા હર્ષવિષાદને જાણે છે પણ કર્મના પરિણામ સાથે એકત્વ થતું નથી. જ્ઞાની – અજ્ઞાની બંનેને જ્યાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી સુખદુઃખાદિનો સંયોગ આવે છે. જ્ઞાનીની દષ્ટિ સ્વભાવ પ્રત્યે હોવાથી સંયોગોમાં મૂંઝાતા નથી. અજ્ઞાની સુખદુઃખાદિ સંયોગોને અનુભવી નવો કર્મબંધ કરે છે. [૧૮] જ્ઞાની સ્વપરિણતિના આશ્રયે છે. અજ્ઞાનીની દૃષ્ટિ નિમિત્ત તરફ છે. નિમિત્તની હાજરી હોય છે, જો નિમિત્ત જેવી વસ્તુ ન હોત તો બંધ-મોક્ષની અવસ્થાઓ ન હોત. આ બંને વ્યવહારનય સાપેક્ષ છે. પણ જ્ઞાની તેનો આશ્રય કરતા નથી. પણ નિશ્ચયનયથી ત્રિકાળ શુદ્ધ આત્મતત્ત્વ પ્રત્યે તેમની દૃષ્ટિ છે. તેથી આત્મામાં રહેવું તે જ મુક્ત થવાનું નિમિત્ત ઉપાદાન બને છે. [૧૮૧] આ પડતા કાળમાં જીવને સ્વપરિણતિ પ્રત્યે વળવું કઠણ છે, તેમાં અનેક અંતરાય છે. કેવળ શુભભાવમાં ટકવું કે આગળની ભૂમિકાએ પહોંચવું, સર્વત્ર અંતરાયો છે. માટે આ કાળમાં ચિત્તશુદ્ધિ માટે ભક્તિ અને સત્સમાગમનો યોગ મળે તો જીવનું કલ્યાણ થવું સંભવ છે. અથવા દુકૃતગહ, સુકૃત અનોખોદના, ચાર શરણા ભવિતવ્યતાના પરિપાક માટે રાજમાર્ગ છે. [૧૮૨] ઉપાદાનનું વિભાવ પરિણમન કે પ્રભાવ નિમિત્તથી થતું નથી. તેમ છતાં નિમિત્તની હાજરીમાં જ ઉપાદાન પોતાના વિકારનું પરિણમન કરી શકે છે. તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહે છે. ત્યારે પણ તત્ત્વનું સ્વાતંત્ર્ય તો છે જ, પરનું નિમિત્ત પામીને પોતાના થનારા વિકૃતભાવને વિભાવ કહે છે. વિભાવને પરભાવ જાણવાથી તેની ઉપેક્ષા થઈ શકે છે. નિશ્ચયષ્ટિથી જોતાં વસ્તુનું પરિણમન યાને શુદ્ધ અશુદ્ધ ભાવો ઉપાદાનથી જ થાય છે. વ્યવહારનયથી જોતાં કર્મવિપાકના કારણે જીવ અમૃતધારા ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy