SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપને જણાવવાનો તેમ જ્ઞાનમાં પદાર્થો જણાય છે. આત્મા અજ્ઞાનપણે તે તે પદાર્થોમાં રાગ દ્વેષપણે વિકારી થાય છે. જ્ઞાની કહે છે કે જીવ વીતરાગ અવસ્થામાં કેમ રહેતો નથી જો વીતરાગી અવસ્થામાં રહે તો બંધાય નહિ. [૧૭] કત: કાર્યને કરવાવાળો. કરણ – જેનાથી કાર્ય કરવામાં આવે તે મુખ્ય કારણ કરણ. કર્મઃ જે કરાય તે કર્મવિપાક અને કર્મનું ફળ આ ચારે આત્મા જ કરે છે. એવો નિશ્ચય છે. ભેદવિજ્ઞાની જ્ઞાની પણ પર દ્રવ્યના નિમિત્તે રાગાદિ પરિણમન નથી કરતા ત્યારે શુદ્ધ આત્મસ્વરૂપને પામે છે. અર્થાત્ કર્તા શુદ્ધ, કરણ શુદ્ધ, કર્મ શુદ્ધ, ફળ શુદ્ધ આ ચારે ભેદથી આત્મા અભેદસ્વરૂપે રહે છે ત્યારે શુદ્ધ સ્વરૂપને પામે છે. [૧૭૮] અજ્ઞાનદશામાં પણ અન્ય દ્રવ્ય મારું હતું નહિ છતાં જીવ સ્વયં ભૂલથી રાગભાવ કરી પરનો કર્તા થયો, અજ્ઞાનભાવનું કારણ થઈ કરણ થયો. રાગની પરિણતિથી પોતાના અશુદ્ધ ભાવને કરી કર્મરૂપે થયો, તેથી સુખ-દુઃખરૂપ કર્મફળનો ભોક્તા થયો. આ ચાર ભેદોમાં અજ્ઞાનદશામાં વર્તતો હતો જ્ઞાનદશામાં ચિંતવે છે કે હું નિર્મળ ચૈતન્ય સ્વભાવવાળો કર્તા છું. શુદ્ધ સ્વભાવના અતિશયથી કરણ છું. શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાથી કર્મ છું. અને સ્વભાવે કરી આત્મિક સુખરૂપ કર્મફળ છું. આમ જ્ઞાન નિર્મળ થાય છે. જીવ કર્મથી બંધાયેલો છે એ વ્યવહારનયની અપેક્ષાથી છે. જીવ કર્મથી બંધાયેલા નથી આ નિશ્ચયનયનો પક્ષ છે. પરંતુ વાસ્તવમાં આ બંને વિકલ્પોથી રહિત નિર્ણય કરી જે સ્વરૂપમાં લીન થાય છે, તે શુદ્ધ નયના નિર્ણયે પરમાત્મતત્ત્વ પામે છે. વ્યવહારનયનું પ્રયોજન જાણી તેને છોડી દેવું. નિશ્ચયનયના પ્રયોજનને જાણી સ્વરૂપમાં લીન થવું તે પરમપદને પામે છે. આત્માથી કર્મ વસ્તુતઃ ભિન્ન છે, કર્મના પરિણામ સ્વરૂપ સુખ ૫૦ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy