SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સમીપમુક્તિગામી જીવનું ઉપાદાન બળવાન હોય છે. તે સિવાય સામાન્ય જીવો ઉપાદાનની શક્તિ ફોરવી શકતા નથી. નિમિત્તાધી બની મહદ્અંશે અશુભપણે જ વર્તતા હોય છે. વળી ઉપાદાનની વાતોની જાણકારી થતાં નિમિત્તનો છેદ કરે તે પણ માર્ગ પામતા નથી. [૧૬૪] વળી જીવનું ઉત્પાદન હિંસાદિ ભાવવાળું કષાયયુક્ત અશુભ હોય અને નિમિત્ત સારું હોય તોપણ પાપનો બંધ થાય છે. જેમ કોઈ પ્રપંચી માણસ બહારમાં સત્કાર્ય કે દાનાદિ કરે પરંતુ તેના અશુભ ઉપાદાનના કારણે પાપનો બંધ કરે. [૧૬૫] આમ નિમિત્ત અને ઉપાદાનને યોગ્ય રીતે જાણી હંમેશાં શુભનિમિત્તને ગ્રહણ કરવા, તેમ પુનઃ પુનઃ પરંપરાથી ઉપાદાન શુભ થાય છે. અશુભ નિમિત્તથી ઉપાદાન અશુભ થાય છે. [૧૬૬] વળી પુગલનું પુદ્ગલ નિમિત્ત ઉપાદાન કરે છે. જેમ હળદર સ્વભાવથી પીળી હોવાથી તેને પાણી સાથે ભેળવતાં પાણી પીળું બને છે, પરંતુ તે જ પાણીમાં સાજી ભેળવતાં પાણી લાલ બને. પીળી હળદરની લાલ થવાની શક્તિ હોવાથી તેને સાજીનું નિમિત્ત મળતાં લાલ રંગરૂપે પરિણન થયું. [૧૬] સામાન્ય જીવોને નિમિત્તની પ્રધાનતા હોય છે માટે વિવેકી પુરુષે સારું નિમિત્ત મેળવવું યોગ્ય છે. વિશેષ એ છે કે પોતાના પરિણામની વિશુદ્ધતાથી અધિક વિશુદ્ધતાનું નિમિત્ત હોય તો આપણું ઉપાદાન નિમિત્ત પ્રમાણે ફોરવવું, જેમકે શ્રાવકધર્મમાં છું તો શ્રાવકધર્મની વિશેષતા કરવી પણ આપણા ભાવોની વિશુદ્ધતાથી નિમિત્ત સામાન્ય છે તો આપણા ઉપાદાનને નિમિત્ત પ્રમાણે નીચે ન લાવવું. શ્રાવકધર્મની આચરણાને ગૌણ ન કરવી. આમ નિર્મળ બુદ્ધિથી વિચારવું ગૌણતા મુખ્યતાનું લક્ષ્ય રાખવું. [૧૬૮] અર્થાત્ આત્મામાં ઉત્પન્ન થતાં રાગાદિ પરિણામનું નિમિત્ત અમૃતધારા ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy