SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં તો એક છોકરો દોડતો આવ્યો, તમારે ત્યાં દીકરો જન્મ્યો છે, ઘી લઈને જલ્દી જાવ. હૈં ! દીકરો જન્મ્યો ! અને વીરજીએ પાવલી અને તપેલી ઘીવાળાને આપી દીધી કે તમે કુ૨સેદ ઘીની તપેલી ઘરે પહોંચાડજો. અને પોતે ભાગ્યો. વનમાં સિંહ પાછળ પડે ને દોડે તેવી દોડે સ્ટેશને પહોંચ્યો. ભાવનાને કુદરત પણ સહાય કરે, ગાડી એ જ સમયે ઊપડતી હતી. તે સમયે ગાડીઓ ચોવીસ કલાકે રાઈટ ટાઈમે' પહોંચાડે. આજના સવારના પાંચને બદલે બીજા દિવસે સવારના પાંચે. પહેરેલા કપડે, ખાલી ખિસ્સે, ભૂખ્યા પેટે, અથડાતા કૂટાતા વૈરાગ્યના સહારે (બીજું કંઈ સાથે ન હતું.) પંજાબ પહોંચ્યા. દીક્ષા લીધી વીરજી ભાવસાર વીરવિજ્ય મુનિ બન્યા. જેમનાં પદો, પૂજા, સ્તવનોનો વિપુલ વારસો જૈન સમાજને મળ્યો છે. આવો વૈરાગી કા કારણે સંસારમાં રોકાય ! [૧૬ ૧] ધણીની થાપણ ધણીને સોંપી, મટી ગયું, સાચવવું આતમરામ નકરા થઈને, વાયુલહવત્ (સાધુ) કરવું.” નિમિત્ત ઉપાદાન જે દ્રવ્યની શક્તિ દ્રવ્યથી જ દ્રવ્યમાં ઉત્પન્ન થાય તેને ઉપાદાન કહીએ. અન્ય પદાર્થના સંયોગથી શક્તિ પ્રગટે તેને નિમિત્ત કહીએ. જીવનો સ્વભાવ શુદ્ધ હોવા છતાં શુભાશુભરૂપ, રાગદ્વેષરૂપ પરિણમન શક્તિ જીવનું ઉપાદાન છે, જે પદાર્થનું નિમિત્ત પામી આત્મ પરિણામ, રાગદ્વેષરૂપ થયા, આત્મા રાગાદિરૂપ થયો તે સાંયોગિક પદાર્થો નિમિત્ત છે. આમ નિમિત્ત ઉપાદાનથી શુભાશુભ કર્મનો બંધ થાય છે. આત્મા નિમિત્તાધીન ન થતાં સ્વભાવમાં રહે છે તો શુદ્ધોપયોગને કારણે કર્મબંધ થતો નથી. [૧૬ ૨] Jain Education International - વળી જીવનું ઉપાદાન શુદ્ધ કે શુભ હોય અને નિમિત્ત ખરાબ હોય તો પણ પરિણામ શુભ આવે છે જેમકે ગજસુકુમાલને દુર્નિમિત્ત છતાં પરિણામ સારું આવ્યું. [૧૬૩] ૪૬ * અમૃતધારા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy