SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્લેચ્છ ભાષાના સ્થાને હોવા છતાં પરમાર્થ પ્રતિપાદક હોવાથી વ્યવહારના સ્થાપન કરવા યોગ્ય છે. પરંતુ બ્રાહ્મણે પ્લેચ્છ થવાનું નથી. અર્થાત્ દરિદ્રીને જોઈને ધનીએ દાન કરવાનું છે પણ દરિદ્રી થવાનું નથી. તેમ સાધકે વ્યવહારના અનુસરવા યોગ્ય નથી. જાણવો પ્રયોજનવાન છે. [૧૨૨] નિર્વિકલ્પ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વ્યવહારની ઉપયોગિતા બતાવી જિનેશ્વરભગવંતના શ્રુતજ્ઞાનમાં તેની પ્રક્રિયા બતાવી છે. તે વ્યવહાર અનુસરવા યોગ્ય નથી તે નિશ્ચયનયની પ્રરૂપણા છે. છતાં વ્યવહારનયથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાની પ્રક્રિયામાં આત્માનુભૂતિની પ્રેરણા સુધી જીવને વ્યવહારમાર્ગ દર્શાવ્યો છે. તે આ પ્રમાણે – (સમયસાર સમ્યગ્દર્શનમાંથી) [૧૨૩] ગુરુના મુખે “આત્મા’ શબ્દ સાંભળનાર શિષ્ય સંશિપંચેન્દ્રિય હોવાથી તેને ક્ષયોપશમ લબ્ધિ હોય. (કર્મના ભારથી હળવો થયેલો) આત્માર્થની વાતમાં કંઈ પણ સમજણમાં ન આવે તો ક્રોધિત ન થવું, અરુચિ પ્રદર્શિત ન કરવી પણ જિજ્ઞાસા રાખવી તે વિશુદ્ધિલબ્ધિને સૂચિત કરે છે. કષાયની મંદતા હોવી જરૂરી છે. આચાર્ય – સદ્ગુરુ દ્વારા વ્યવહારમાર્ગથી આત્માનું સ્વરૂપ સમજવું કે દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત છે તે આત્મા છે દેશનાલબ્ધિ (ઉપદેશનો બોધ થવો | બોધ મળવો). પ્રસન્નચિત્તથી દેશના સાંભળવી. પ્રમાદરહિત શ્રવણ કરવા પ્રયત્ન કરવો.) પ્રાયોગ્યલબ્ધિ સદ્ગુરુના વચનનો મર્મ ખ્યાલમાં આવતાં જ બોધનું પરિણમન થવું. આનંદનાં અશ્રુ આવવાં એ કલ્યાણરૂપ કરણલબ્ધિ છે. (જ્યાં સમ્યગ્દર્શનની ભૂમિકાનો પ્રારંભ થાય છે જે આત્માનુભૂતિ સુધી લઈ જાય છે) [૧૨૪] વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન આ રીતે સિદ્ધ થાય છે કે ૩ર અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy