SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યમાં અભેદરૂપે સમાય છે. એકાકારરૂપે સ્થિત છે તેથી તેમાં ભેદ નથી. યદ્યપિ દ્રવ્ય અને પર્યાય બંને આત્માની ચીજ છે. પર્યાય કલ્પના નથી એ પણ પદાર્થ છે, પર્યાયપણે સત્ છે. પરંતુ જ્યારે અભેદનું લક્ષ્ય કરો ત્યારે પર્યાયદષ્ટિને છોડવી પડે. અભેદદષ્ટિમાં ભેદને ગૌણ કરીને સમજવાથી અભેદનું લક્ષ્ય સાધ્ય બને છે. [૧૧૮] , દૃષ્ટિ સ્વયં વર્તમાનકાલીન અવસ્થા છે. પર્યાય છે, પરંતુ ધ્યેય પર્યાય જેટલું સીમિત નથી. તેથી પર્યાયદષ્ટિનું ધ્યેય નથી, પણ દષ્ટિનો વિષય તો એક જ્ઞાયક જ છે. [૧૧૮] જેમ અનાર્યજનને અનાર્યભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી. સમયસારમાં જીવની ભૂમિકાને યોગ્ય સુંદર અને મહત્ત્વની વાત સમજાવી છે કે પ્લેચ્છ – અનાર્યને બ્રાહ્મણ “સ્વસ્તિ’ કહી આશીર્વચન આપે ત્યારે તે શબ્દને નહિ સમજતો ક્ષોભ પામીને જોયા કરે. પરંતુ જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ મ્લેચ્છ અને બ્રાહ્મણની ભાષા જાણનાર સ્વેચ્છને સમજાવે કે બ્રાહ્મણ કહે છે કે તારું અવિનાશી કલ્યાણ થાઓ.” [૧૨] ત્યારે પેલો મ્લેચ્છ કેવો આનંદથી નાચી ઊઠે? તેની આંખો હર્ષાશ્રુથી ભરાઈ જાય. શબ્દનો અર્થ સમજાવાથી મ્લેચ્છ સમજણમાં આવ્યો. તેમ વ્યવહારી – અજ્ઞાની જન આત્મા શબ્દના શ્રવણથી કંઈ સમજતો નથી. પરંતુ વ્યવહાર-પરમાર્થ માર્ગના જ્ઞાની-સગુરુ તેને વ્યવહાર માર્ગમાં રહીને સમજાવે કે ભાઈ ! જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની હંમેશાં પ્રાપ્તિ પરિણામે શુદ્ધ પરિણતિ હોય તે આત્મા છે. વળી તેનો વિશેષ અર્થ સમજાવે છે ત્યારે તેના હૃદયમાં આનંદ ઊભરાય છે, અને તેને આત્મા શબ્દનો બોધ થાય છે. [૧૨૧] જગત મ્લેચ્છ ને (અજ્ઞાન) સ્થાને હોવાથી અને વ્યવહારનય પણ અમૃતધારા ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy