SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અજીવના સંયોગનો સંપૂર્ણ વિયોગ તે મોક્ષ છે. [૧૦] આવા તત્વનો અભ્યાસ પણ સાધકને સહાયક છે. અનાદિના વિકલ્પાત્મક મલિન સંસ્કારોને ભૂંસવા કેવા કઠણ છે તે સાચો સાધક જ જાણે છે. ગુરુકૃપાએ નિર્વિએ ચાલતી સાધનામાં કર્મયોજિત પત્થર ક્યારે પડે તે કહેવાય નહિ એથી શાસ્ત્રકારે કહ્યું કે [૧૦૫]. એસ ખલુ ગૂંથે. એસખલુ મોહે, એસખલુ મારે, એસ ખલુ રિએ ક્રોધાદિ કષાયનો ઉદય થયો, સાધક અસાવધાન બન્યો છે. અને પ્રભુના આ વચન હૃદયમાંથી નીકળે છે. અરે ! આ ક્રોધ ગ્રંથિ છે. ક્રોધ મોહ અજ્ઞાન છે અને એ જ મૃત્યુ છે એ જ નરક છે. સાધક વિભાવથી પાછો વળે છે. ભક્તની ભાષામાં કહે છે કે અરે અહીં કોણે સાધનામાં ટકાવી દીધો? એ જ પરમતત્ત્વી પરમાત્મા જેને સહારે મેં યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ છે ભક્તિની ધારા. ભક્તને બળ આપશે. જ્ઞાનની ધારા કર્મના ઉદયને જોશે, જાણશે પણ લેખાશે નહિ. બેઉ ચિંતનધારામાં કંઈ અંતર નથી. સાધક અને ભક્તને સર્વમિત્ર બને છે. તે શત્રુ મિત્ર વગરનું નિષ્પક્ષ વ્યક્તિત્વ છે. [૧૦૬] તમે ‘સમય’ શબ્દ શાસ્ત્રમાંથી જાણ્યો હશે. તે સમય એટલે લોક વ્યવહારમાં કાળ, વખત, કલાકો કે દિવસો જણાવતો સૂચક નથી પરંતુ તે શબ્દમાં અલૌકિક વસ્તુ-તત્ત્વ સમાયેલું છે, જે અચિંત્ય છતાં અનુભવગમ્ય છે. [૧૦]. ‘સમય’: જીવ નામનું તત્ત્વ-પદાર્થ જે દ્રવ્યકર્મ, ભાવકર્મ કે નોકર્મરહિત શુદ્ધાત્મા છે. આ શુદ્ધાત્માને શ્રદ્ધવો, જાણવો, તેમાં રમણતા કરવી, અર્થાત્ પૂર્ણાનંદમય અવસ્થા. સમય-આત્મા, સાર-ઉપાદેય આત્માની ગુણાત્મક અનેક અવસ્થાઓ છે. પર્યાયો છે, તે પર્યાયમાં પણ એક ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય આત્મા જ ઉપાદેય છે. અન્ય જ્ઞાનાદિ અવસ્થાઓ ગૌણ છે અને પરભાવ તો અત્યંત હેય છે. માટે શેય, ૨૮ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy