SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યેય, સાધ્ય સર્વે માત્ર અભેદરૂપે આ ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા જ છે. એ અમૃતસાગર છે. તપ, જપ, ધ્યાનાદિ સર્વ સરિતાનું વહેણ આ અમૃતસાગર તરફ જ હોય. ભૂમિકા પ્રમાણે ભક્તિ આદિ થતા હોય ત્યારે પણ દૃષ્ટિ તો એ શુદ્ધાત્માને જ આધીન રહે તો મુક્તિ નિકટ [૧૦૮] અરિહંત – સિદ્ધ પરમાત્માની ભક્તિ શા માટે ? અરિહંત માર્ગ ઉપદેશક છે, શરીર પરમાત્મ સ્વરૂપ છે. સિદ્ધ જેવું સ્વરૂપ પોતાનું છે એમ શ્રદ્ધવા અને જાણવા માટે તેમની ભક્તિ છે જ્યારે એમ અનુભવે ત્યારે પોતાનું સ્વરૂપ પ્રગટ થાય. [૧૯] સિદ્ધ સ્વરૂપ શુદ્ધાત્મા શાશ્વત સુખનો સ્વામી છતાં સ્વભાવથી ચુત વિભાવદામાં આવી પડે તે દુઃખરૂપ છે. પૂર્ણાનંદમય આત્મા તેમાં એકત્વ-સ્થિત થવું સુલભ નથી. કારણ કે જીવે પૂર્વે તે સ્વરૂપને થયું નથી. આરાધ્યું નથી. અનુભવ કર્યો નથી. [૧૧] સામાન્યતઃ સર્વ જીવોને સંસારના પુદ્ગલ, ભોગ સંબંધી પરિચય થયો છે. અને તેનો અનુભવ થયો છે, તેથી તે સુલભ લાગે છે. અજ્ઞાની જીવ જાણતો નથી એ પુદ્ગલના પરિચયમાં મોહવશ આ સંસારમાં કેવું દુઃખદાયક પરિભ્રમણ કર્યું છે ! [૧૧૧] હવે જો સદ્ગુરુના બોધ કે શાસ્ત્રબોધે રુચિ પલટે તો શ્રદ્ધા પલટે તો ઉપયોગ પલટો મારે. સ્વરૂપની સમજણ આવે અને જ્ઞાનીઓની પ્રેરણા મેળવી આત્મપરિચય કરે સ્વરૂપપ્રાપ્તિ સુલભ છે. ઉપયોગ પલટો મારે શું પરિણમન થાય ? આ સંસારનો, ધન, માન, પરિવાર વગેરે મારા આત્માનો વૈભવ નથી. પુણ્યપાપના શુભાશુભભાવ પણ આત્માનો વૈભવ નથી પરંતુ ત્રિકાળી શુદ્ધાત્માના અવલંબને નિર્મળ એવી સ્વપરિણતિમાં જે વીતરાગતા – સમતા પ્રગટ થઈ છે તે મારો વૈભવ છે. તે જ મારો અનુભવ છે. તે વૈભવથી આત્મા સાથે મારું એકત્વ છે, અને શુભાશુભભાવજનિત વિભાવથી હું વિભક્ત છું. આવું ભેદજ્ઞાન કેવળ અમૃતધારા ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy