________________
વીતરાગ તીર્થકરોનું ધ્યાન શ્રદ્ધાને સ્થાપિત કરે છે. [૯].
સર્વજ્ઞ પરમાત્માએ છ દ્રવ્યસ્થરૂપ લોકને યથાતથ્ય જાણ્યું કે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્ત. સત્, ગુણ પર્યાયવદ્ દ્રવ્યમ.
દરેક પદાર્થ – દ્રવ્ય, ગુણ પર્યાયયુક્ત છે. તે સર્વ સંપૂર્ણ સ્વાધીન છે. સ્વપરિણામી છે. અન્યોન્ય પરિણમાવી શકે નહિ. લાભહાનિ કરી શકે નહિ. સુખદુઃખ આપી શકે નહિ. દરેક દ્રવ્યની આવી સ્વતંત્રતા છે “પરસ્પરઉપગ્રહો જીવાનામ્' એ સૂત્ર દ્રવ્યની સ્વતંત્ર પરિણમનને હણતું નથી પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવે છે. [૧૦]
જેમ વસ્તુનું પરિણમન સ્વાધીન છે તેમ કમાનુસારી છે. ક્રમબદ્ધ છે. દ્રવ્યનું પરિણમન જે ક્ષેત્રે, કાળે કે ભાવે જે રૂપે હોય તેવું પરિણમન થાય છે. તેના ક્રમમાં ફેરફાર થતો નથી. આવી શ્રદ્ધા જીવને પરપદાર્થના કર્તાભોક્તા ભાવથી છોડાવે છે. રાગાદિભાવ શમે છે. એના મુખમાં ઉદ્ગાર નીકળે છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે હોય તે ખરું. [૧૦૧]
છતાં પૂરા વિશ્વ સંચાલન ઉપાદાન-નિમિત્ત કે નિમિત્ત નૈમિત્તિક સિદ્ધાંત થાય છે. યદ્યપિ દરેક દ્રવ્યનું પોતાની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે પરિણમે છે, ત્યારે નિમિત્તની હાજરી હોય છે. ઉપાદાન નિમિત્તનો એવો સહચારી સંબંધ છે. જીવે પુરુષાર્થની મુખ્યતા રાખવી. [૧૦૨].
ધર્મમાર્ગમાં ઉત્તમ પુણ્યની જરૂર છે, તેનો એકાંતે નિષેધ નથી. જેમ રસોઈમાં અગ્નિ વગર ન ચાલે તેમ ધર્મમાર્ગમાં પુણ્ય વગર ન ચાલે. પણ એ પુણ્યને અગ્નિ જેવું માનવું, સાવધ રહેવું. નહિ તો ભોગ વળગી પડશે અને દુઃખમાં કે દુર્ગતિમાં લઈ જશે. પુણ્યનો ઉપયોગ સદ્ગતિ કે સાનુબંધ ટકે તેમાં કરવો જેથી સિદ્ધિ ગતિ સુધીની યાત્રા નિર્વિબે થાય.
[૧૦૩] જીવ અજીવ મૂળ તત્ત્વ છે. પુણ્ય, પાપ, આશ્રવ, બંધ એ સંયોગી તત્ત્વ છે. સંવર નિર્જરા મોક્ષ એ વિયોગી તત્ત્વ છે અર્થાત્ સંસારનો વિયોગ કરવામાં સહાયક છે. જીવ અજીવનો સંયોગ તે સંસાર અને
અમૃતધારા ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org